SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ અને કોઈ અધમવર્ગ પામ્યા. મનમાં સૂક્ષ્મતા આવે તો આ સર્વે મોહની રમત સમજાય. વૈરાગ્ય ઊપજે. મન વશ થાય. [૪૨૫] શ્રી અરિહંતો આ જાણતા હતા તેથી મનને વશ કરવાનો, સૂક્ષ્મ કરવાનો અને શુદ્ધ કરવાનો ઉપાય બતાવતા ગયા. શ્રી નવકારને વિધિપૂર્વક આરાધવાથી મનમાં વિવેક જન્મે છે. નવકાર પાસે કંઈ માંગવાનું નથી, ફક્ત ગણવાનો છે. ભાઈ ! દુકાન માંડે પછી થોડો સમય ગયે નફો મળે ને ? પહેલાં તું બહુમાનપૂર્વક નવકારના જાપની દુકાન તો માંડ પછી દિવાળીએ નફો નુકસાન જોજે. નફો જ નફો ૪િ૨૬] જગતમાં નિર્ગુણી એવા જીવો પણ પૂજાય છે તે દ્રવ્ય-ધનનો ચમત્કાર છે, એ પ્રત્યક્ષ જણાય છે. વળી સામાન્ય મનુષ્યો ગુણના પૂજારી હોતા નથી, પણ દ્રવ્યના પૂજારી હોય છે. આથી ઉપદેશ વગર પણ એવી પ્રવૃત્તિ ઉત્સાહભેર કરવામાં આવે છે. તેમાં એવો વિશ્વાસ આવે કે બાહ્ય સુખનું કારણ ધન છે, તે ધનપ્રાપ્તિનું કારણ ધર્મ છે તો ધનપ્રાપ્તિ કરતાં ધર્મપ્રાપ્તિનો ઉત્સાહ વધે ને? ૪િ૨૭]. કરવું કરાવવું અને અનુમોદન કરવા દ્વારા ધર્મ શક્તિ મુજબ થાય છે. કરાવવામાં અનેકને સાથે લઈ કરી શકાય તો પણ તેમાં મર્યાદા છે. એ ક્યું અને કરાવ્યું બંને ભેગું કરવામાં આવે તો પણ અનુમોદન રૂપ ધર્મના સાગરની આગળ તે બિંદુ જેવું છે. કારણ કે અનુમોદનમાં દેશ, કાળ, કે દ્રવ્યનો પ્રતિબંધ નથી. અનુમોદન આપણી આજુબાજુ થતાં વર્તમાનના ધર્મથી થઈ શકે. ભૂતકાળમાં બીજાઓએ આચરેલા ધર્મથી પણ થઈ શકે. વળી આ ભરતક્ષેત્ર સિવાય અન્ય ક્ષેત્રોની પણ થઈ શકે. અનાદિકાલથી સર્વક્ષેત્રોમાં ધર્મ વળી પરિપૂર્ણ ધર્મરૂપે આરાધાતો આવ્યો છે. આ સર્વ ધર્મોનો સરવાળો અનંત અનંત થાય. અનુમોદના કેટલી થાય ? ૪િ૨૮] ૧૧૬ માં અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy