SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય-કષાયની વિરક્તિ થયા પછી સાધકને એવા પરમ વિરક્તદશાવાનની ભક્તિ આવે છે તે ભક્તિથી નિર્મળદશામાં ઊંડો ઊતરી આત્માનુભૂતિ પામે છે. ત્યારે તેને પરમાત્મદશાની પરમતાનો ખ્યાલ આવે છે. નિજગુણાનુભૂતિ દ્વારા જિનગુણાનુભૂતિ. નિર્વિકલ્પદશાની આધારશિલા પર નિજગુણોનો સ્પર્શ તે જ્ઞાતા, દ્રષ્ટાભાવ, ઉદાસીન ભાવ છે. આ ભાવ જેમ જેમ ઘૂંટાતા જાય તેમ તેમ પરમાત્મસ્વરૂપના આનંદનો તાળો મળતો જાય. તેમ તે સ્વરૂપની પૂર્ણતા પ્રત્યેનું આકર્ષણ વધતું જાય છે. પરરસ પરભાવનાં મૂળ ઊખડી જાય છે. ૩િ૬૭] ઉપાદાન અને નિમિત્ત એક જ કાર્યનાં બે ભિન્ન કારણો છે. ઉપાદાન કારણ નિજશક્તિ છે, અને નિમિત્ત પર છે. નિજશક્તિથી જ્યારે કાર્ય થાય છે ત્યારે નિમિત્તની હાજરી હોય છે. તે નિમિત્ત કાર્યમાં કંઈ ફેરફાર કે સહાય કરતું નથી. નિમિત્તની ઉપસ્થિતિમાં દ્રવ્ય પોતે પરિણમે છે. એટલે કાર્યનો કર્તા ઉપાદાન છે. જ્યારે કાર્ય થાય છે ત્યારે જે અન્ય અનુકૂળ દ્રવ્યોની સહજ ઉપસ્થિતિ જોવામાં આવે છે તેને નિમિત્ત કહેવાય છે. નિમિત્તરૂપે રહેવું તે તેનો ઉપકાર છે. જેમ બધા દ્રવ્યોને અવગાહન આપવું તેમાં આકાશ દ્રવ્ય નિમિત્ત છે, એ આકાશ દ્રવ્યનો ઉપકાર નિમિત્ત) છે એમ કહેવાય છે. ઉપકારનો અર્થ મદદ કરવી તેવો નથી. [૩૬૮] પરસ્પર ઉપગ્રહો જીવાનામ્ શરીર, મન, વચન, શ્વાસોચ્છવાસ, ઇન્દ્રિય જન્ય સુખ-દુઃખ જીવન મરણ આ સર્વે મુદ્દગલ નિમિત્ત છે. પ્રત્યેક કાર્ય ઉપાદાનથી સ્વસમયમાં જ થાય છે. તે સમયે નિમિત્તની હાજરી સહજ હોય છે, તેને મેળવવી પડે કે ન જોઈએ તો હટાવવી પડે તેમ નથી. [૩૬ ૯] જેમ કાલદ્રવ્ય બધાં દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત છે. અર્થાત્ પ્રત્યેક દ્રવ્ય પોતાની ઉપાદાન શક્તિને કારણે પરિણમન કરતું હોય છે એમાં ૧0 અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy