SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્ત થવા માટે છે. પરાવલંબન છોડવાનો ઉપદેશ સ્વભાવ આલંબનની વૃદ્ધિ માટે છે. ૩િપ૯] અરીસામાં આપણે આપણું મુખ નહિ પણ મુખનું પ્રતિબિંબ જોઈએ છીએ. પરંતુ વ્યવહાર કથન પદ્ધતિ છે કે આપણે મુખ જોઈએ છીએ. અરીસામાં કંઈ મારું મુખ પેસી ગયું નથી. વળી અરીસામાં આપણા મુખ પર ડાઘ દેખાય તો અરીસાને સાફ કરતા નથી પણ મુખ પરનો ડાઘ સાફ કરીએ છીએ. એથી સમજાય છે કે નિશ્ચયથી મુખ મારું છે, અને વ્યવહારથી મુખ અરીસામાં જણાય છે. આમ આપણે લૌકિક કથનને બરાબર સમજીને અર્થ કરીએ છીએ. પણ શાસ્ત્રકથનને સાંભળીને આપણે શંકા ઉઠવીએ છીએ. વાસ્તવમાં શાસ્ત્રજ્ઞાન દ્વારા આપણે સ્વરૂપ નિર્ણય કરવાનો છે. [૩૬] પુણ્યયોગે મળેલી સામગ્રીથી રોજે ઇન્દ્રિયોને મળતા અનુકૂળ પદાર્થોમાં રાગને કારણે સુખનો અનુભવ થાય છે. એટલે આત્મિક સુખ વિષે સાંભળીએ તોપણ તેનો ભાવ થતો નથી. [૩૬ ૧] જ્યાં ચેતના-જ્ઞાનમાં અલ્પતા છે, અજ્ઞાન છે ત્યાં સુધી આત્મિક સુખની વાત ન સમજાય. પરંતુ જેમણે સાચું સુખ અનુભવ્યું તેના વચન પર વિશ્વાસ મૂકી ઇન્દ્રિયસુખો દુખરૂપ જ એમ નિર્ણય કરે તો સાચા સુખને માર્ગે જવાય. [૩૬ ૨]. સાચા સુખનો શાશ્વત માર્ગ સર્વજ્ઞવીતરાગી તીર્થકરોએ જાણ્યો જોયો અનુભવ્યો અને પ્રકાશિત કર્યો. સર્વજ્ઞ તીર્થંકરનો યથાર્થ નિર્ણય કરનારને જ એમના વચન પર વિશ્વાસ આવે, સર્વજ્ઞ સ્વભાવની ઓળખાણ થાય. મિથ્યાત મંદ કરવાનો આ ઉપાય છે. ક્રમે કરીને મિથ્યાત્વ નાશ થતાં સમ્યકત્વ પ્રગટ થાય છે. જે સ્વરૂપપ્રાપ્તિનું અમોઘ કારણ છે. (૩૬૩]. અનાદિકાળથી કર્મથી મલિન એવા આત્મઘરના મિથ્યાત્વના) ઘોર અંધકારમાં સફાઈ કરવાની છે તે માટે પ્રથમ તો પ્રકાશ જોઈશે ૯૮ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy