SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સમજ કે તને માર્ગ મળી ગયો. અનાદિકાળની બાહ્ય સુખની ભ્રમણા તૂટી ગઈ. તને અંતરમાં શાંતિનો અનુભવ થવા લાગ્યો. હવે તું અસ્થિર, ક્ષણિક, અને વિનાશી એવા સાંસારિક સુખો કે જેમાં નિરંતર પાપનો પ્રવાહ છે ત્યાંથી તું હવે છૂટો થયો. ધર્મમાં તારું ચિત્ત સ્થિરતા પામ્યું. - વાસ્તવમાં વિચારીએ તો આપણા બંધનનું કારણ કેવળ વિષયોના ભોગો જ નથી, પણ તે વિષયોમાં રહેલી આસક્તિ, પદાર્થો મળ્યાનો અહંકાર છે. સવિશેષ દેહાત્મબુદ્ધિ પણ છે. દેહાત્મબુદ્ધિ ટળે નહિ અને વિષયોને દબાવે કે વિકારોને શમાવે તોપણ બંધનરહિત થવાય નહિ, કારણ કે દેહાત્મબુદ્ધિ આત્મવિસ્મૃતિ કરાવે છે, અને તેથી જીવનમાં અજ્ઞાનનો અંધકાર વ્યાપી જાય છે. ત્યાગ હોવા છતાં પણ જીવની મુક્તિ સંભવ નથી. દેહાદિથી પર પોતાના શુદ્ધ જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ ન થઈ હોય કે ભાવના ન થઈ હોય તો દેહાત્મબુદ્ધિ અહંકાર કે આત્મશક્તિ પેદા કરે છે. ત્યારે કરેલી સાધના વ્યર્થ જાય છે. કારણ કે ધર્મની બાહ્ય ક્રિયા થતી રહે અને અંતરંગ તો લૌકિક તરફ રહે, તેથી બાહ્ય ત્યાગ આદિથી ધર્મનો આભાસ ઊભો થાય છે ત્યારે તે સાચા ધર્મથી વંચિત રહે છે. માટે દેહાત્મબુદ્ધિને દૂર કરવા વૈરાગ્યનો સાચો દોર પકડવો જોઈએ. अनन्तान् पुन्द्रलावर्तानात्मनेकेन्द्रियादिषु । भ्रान्तोऽसि छेदभेदादिवेदनाभिरभिद्रुतः ॥ १८४ ॥ साम्प्रतं तु दृढीभूय सर्वदुखःदवानलम् । व्रतदुखं कियत्कालं सह मा मा विषीद् भोः ! ॥ १८५ ॥ ભાવાર્થ : હે આત્મન ! એકેન્દ્રિયાદિ યોનિઓમાં અનંત પુગલ પરાવર્તે પર્યત તું રખડ્યો. અને ત્યાં છેદન-ભેદન આદિ વેદનાઓ તે સહન કરી, તો હવે દઢ થઈ સર્વ દુઃખોને માટે દાવાનલ સમાન વ્રતના કષ્ટને થોડા કાલપર્યત સહી લે પણ વિશાદ ન કર. વિવેચન : હે આત્મન ! તે આ જન્મમાં કોઈ તીર્થયાત્રા કરી મંગલમય યોગ Jain Education International ૧૮૩ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001992
Book TitleMangalmay Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year
Total Pages222
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Sermon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy