SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ હું FL $ F $ E $ H $ G $ F $ E $ H $ $ મુક્તિબીજ | ૧૧. આવક પ્રમાણે ખર્ચ કરવું :- સદાચારી ગૃહસ્થનો આચાર એવો હોય કે આવકના ચાર ભાગ કરે. તેમાંથી એકભાગ રક્ષિત રાખે, બીજો ભાગ વ્યાપારમાં રોકે, ત્રીજો ભાગ કુટુંબ નિર્વાહમાં વાપરે, ચોથો ભાગ ધર્મકાર્યમાં વાપરે. ઉત્તમ ગૃહસ્થ આવકનો અડધો ભાગ કુટુંબ નિર્વાહમાં અને અડધો ભાગ | ધર્મકાર્યમાં વાપરે. આવકનો વિચાર કર્યા વગર ખર્ચ કરનારને ભવિષ્યમાં આપત્તિ ઘેરી લે છે. ૧૨. પોતાના મોભા પ્રમાણે વેશાદિ રાખવા :| પોતાની સંપત્તિ, વય, કમાણી, અવસ્થા વગેરે પોતાના ગામ અને વ્યવહાર અનુસાર વેશ, વસ્ત્ર, અલંકારની સજાવટ કરવી. સંપત્તિ છતાં કૃપણતા રાખે તો પોતે સુખ પામતો નથી અને દાનાદિ જેવાં | સુકૃત્યો કરી શક્તો નથી. સુઘડ વેશભૂષાથી જનસમૂહ પણ આનંદ પામે છે. ૧૩. માતાપિતાની સેવા કરવી : માતપિતાને વંદન કરવું. તેમને ધર્મકાર્યોમાં સહાયક થવું. તેમની દરેક પ્રકારે સેવા કરવી. વિનય સાચવવો. તેમની જરૂરિયાત પૂરી પાડવી. ઉપકારની દૃષ્ટિએ પિતા કરતા માતાનું સ્થાન વિશેષ છે. ગૃહસ્થ દશામાં પુત્રને માટે માતાપિતાની સેવા ઉત્તમ કાર્ય છે. ૧૪. સદાચારીનો સંગ કરવો :| આલોક પરલોકમાં હિતકારી સુંદર આચાર સેવનારા સદાચારી મિત્રોનો | સંગ કરવો. વાસ્તવમાં આત્મસુખ અસંગમાં રહેવું તે છે, પરંતુ જયાં સુધી સંગમાં રહેવું પડે ત્યાં સુધી સદાચારીના સંગમાં રહેવું. સત્પુરુષના સંગમાં ન રહેવાથી આત્મા બંધનમુક્ત થઈ સ્વરૂપમાં તૃપ્ત થઈ શકે છે. ૧૫. કૃતજ્ઞતા : ઉપકારીનો ઉપકાર ક્યારે પણ ભૂલવો નહિ. સવિશેષ તો તેનો બદલો F $ 5 $ 5 $ 5 $ 5 $ 5 $ H $ $ F $ | E $ ૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy