SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ H | 6 + "8 H 8 G 8 F E 8 F 8 E 8 F 8 મુકિતબીજ "| વાળી દેવો. સત્પુરુષોની પ્રણાલિ એ છે કે તેઓ ઉપકારને વિસરતા નથી જીવનમાં નાના મોટા સૌ ઉપકારીની સ્મૃતિ તેમને આનંદ આપે છે. ૧૬. અજીર્ણ થાય ત્યારે ભોજનનો ત્યાગ કરવો : અજીર્ણ હોય ત્યારે ભોજન કરવાથી રોગની વૃદ્ધિ થાય છે અને તેથી | ધર્મારાધનામાં સ્થિરતા ટકતી નથી. વળી પહેલાનો ખોરાક પચે પછી આહાર || લેવો ઉત્તમ છે. | ૧૭. પ્રકૃતિ અનુસાર ભોજન લેવું:| યોગ્ય સમયે સ્વાદને વશ થયા વગર હિતકર અને પથ્ય ભોજન કરવું. | સુધારહત લીધેલું (અન્ન) અમૃત પણ ઝેર સમાન છે, વળી પોતાની પ્રકૃતિને હિતકર ભજન લેવું. અત્યંત અલ્પ કે અધિક ભોજન કરવું નહિ, જેથી આકુળતા રહિત ધર્મઆરાધન થઈ શકે. ૧૮. જ્ઞાનવૃદ્ધ, સાધુ સાધવી ગુરુજનોનું આદરમાન કરવું: જેઓને હિતાહિતનો ખ્યાલ છે તેવા જ્ઞાનવૃદ્ધ હોય, સાધુ, સાધવી વ્રતધારી સૌનું ઔષધાદિથી બહુમાન કરવું. સેવા કરવી. તેમનો વિનયપૂર્વક ઉપદેશ સાંભળવો, જેથી આપણને આત્મલાભ થાય છે. | ૧૯. નિંદનીય કાર્યનો ત્યાગ કરવો : સાધુજન કે દેશચારમાં જે કાર્યો નિંદનીય હોય તે કરવાં નહિ. વ્યસન, | પરસ્ત્રી-પુરુષગમન, અનીતિમય વ્યાપાર, આદિ કાર્યો નિંદનીય છે. ગૃહસ્થ ને F| કુલશીલ બંનેની ઉત્તમતા જરૂરી છે. સદાચાર વગરની સંપત્તિ આદિનું મૂલ્ય 8 અંકાતું નથી. ૨૦. કુટુંબાદિકનું પોષણ કરવું:| પોતાને આશ્રયે રહેલા માતા, પિતા, સ્ત્રી, પુત્ર, પુત્રી, બંધુ કે અનુચર * - સૌનો સારી રીતે નિર્વાહ કરવો. પોતે ગમે તેવું દુઃખ ભોગવે, નોકરી કે ચાકરી "| કરીને પણ પોતાના આશ્રિતોનું પોષણ કરવું. ૨૧. દીર્ઘદ્રષ્ટિ : ગૃહસ્થ દરેક કાર્યના પ્રારંભમાં પરિણામનો પણ વિચાર કરે. વગર વિચાર્યું કે કરેલા કાર્યથી વિન ઉત્પન્ન થાય છે. F 8 E 8 F 8 H 8 8 8 F 8 Hi 8 ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy