SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિબીજ કેમકે તેઓ અધિકારી ન હોવાથી આ શાસ્ત્ર રસાયણરૂપ છતાં, તેમના પેટમાં વિષયોની વાસના રૂપ મળ ભરેલો હોવાથી તે જ્યાં સુધી જુલાબ લઈ કાઢી નાખવામાં નહિ આવે તે પહેલાં આ રસાયણ તેમને ફટી નીકળવાનું જ. મતલબ કે રસાયણ પુષ્ટિકર્તા છે, પણ અધિકારી માણસને જ. તે સિવાયના બિનઅધિકારીઓને તેમની અપવિત્રતાને અંગે તે દુ:ખરૂપ જ થવાની. તેઓ આ ગ્રંથમાંથી ગુણ લેવાને બદલે ઊલટા દોષો શોધશે. 5 આવા બિનઅધિકારી જીવો પણ યોગ્યતા પ્રાપ્ત કરે તો પાત્રતા થાય, તેથી તેમણે તો નીતિમય જીવન અને ગૃહસ્થ ધર્મ જે આ ગ્રંથમાં પહેલાં તેવા અધિકારીઓ માટે લખાયેલા છે તે પ્રમાણે વર્તન કરવા રૂપ ક્રિયા માર્ગનો જુલાબ || લઈ મિલન વાસના રૂપ કર્મ મળને બહાર કાઢી નાખવા પ્રયત્ન કરવો, અને ત્યાર પછી આગળ આત્મધર્મમાં પ્રવેશ કરવા માટે આ ગ્રંથ વાંચવો, ભણવો અને તે પ્રમાણે વર્તન કરવું. 卐 5 卐 5 નિરંતર શુદ્ધ આત્મા સન્મુખ થયેલ સદ્ગુરુના સમાગમમાં આવતા રહેવું, તેઓના અભાવના પ્રસંગમાં આ વાક્યો વાંચી, મનન કરી તે પ્રમાણે વર્તન મૈં કરવું તે પણ ફાયદાજનક છે. આવાં વાક્યો પોતાના ર્તવ્યને યાદ આપે છે. લક્ષને જાગ્રત રખાવે છે અને વિક્ષેપવાળા પ્રસંગે વિક્ષેપને દૂર કરી પરમ શાંતિ આપે છે. F જડ ચેતનની ભિન્નતા : રહેનાર જેમ પાંજરાથી પાંજરામાં રહેનાર પક્ષી જુદું છે. ઝાડથી ઝાડ ઉપર પક્ષી જુદું છે, પહેરેલ અંગરખા કે કોટથી પહેરનાર પુરુષ જુદો છે, તેવી જ રીતે || આ જીવ શરીરથી જુદો છે. આ સ્થૂલ બુદ્ધિવાળા પણ સમજી શકે તેવા દ્રષ્ટાંતો છે. તેનાથી કાંઈક વધારે સૂક્ષ્મ બુદ્ધિવાળાઓ માટે આ દૃષ્ટાંતો છે કે, દૂધ અને પાણી, તલ અને તેલ, પુષ્પ અને સુગંધ એઓનો ભેદ દેખાતો નથી છતાં તે ઓ જુદાં જુદાં છે. તેમ આ દેહથી જીવનો અત્યંત ભેદ આપણે પ્રત્યક્ષ જોઈ શકતા નથી તથાપિ તેઓ તેનાથી જુદાં છે. 5 જૈન-શ્રાવક ઇત્યાદિ અધિકાર છે. તે અધિકાર કોઈ નાત, જાત કે કુળની | અપેક્ષા રાખતો નથી. પૌદ્ગલિક વિષયોમાંથી આસકિત ઉઠાવીને આત્માના સન્મુખ થવું તેની જ તે અપેક્ષા રાખે છે. 5 Jain Education International For Private & Personal Use Only ૫૩ 946 946 946 946 946 946 5 946 546 H H 946 946 946 946 *45 ૐ www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy