SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ – મુક્તિબી 卐 સીધો પહેલે મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય છે. પરંતુ જયારે મિથ્યાત્વને ઉદયમાં ૐ આવવાની વાર હોય છે, અને એક્લો અનંતાનુબંધી કષાય ઉદયમાં આવે છે, ત્યારે જીવ સમ્યક્ત્વ વી, પડીને બીજે સાસ્વાદન ગુણસ્થાનકે જાય છે. ત્યાં ખીરની ઊલટી થઈ ગયા પછી મોમાં આવતા સ્વાદની જેમ જીવ સમ્યક્ત્વનો લેશ આસ્વાદ અનુભવે છે. પણ પછી તરત મિથ્યાત્વ ઉદયમાં આવી જતાં પહેલે ગુણસ્થાનકે પહોંચે છે. 5 5 (૩), મિશ્ર ગુણસ્થાનક : મિશ્ર એટલે જેમાં અતત્ત્વ કે તત્ત્વ કોઈનોય પક્ષપાત ન હોય અથવા તત્ત્વ 卐 પર રુચિય ન હોય તેમ અરુચિ ય ન હોય, એવી વચલી અવસ્થા. દા. ત., | નાળિયેરી ટ્રીપના મનુષ્યને અનાજ પર રુચિ કે અરિચ કશુંય નથી હોતું. આ અવસ્થાનું ગુણસ્થાનક જીવને ચઢતાં ય હોઈ શકે, તેમ પડતાંય હોઈ શકે, અહીં ય 卐 યદ્યપિ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય બંને ય ઉદયમાં નથી વર્તતા હોતા, છતાં મિથ્યાત્વ મોહનીય કર્મના અર્ધશુદ્ધ કરેલા મિશ્ર પુદ્ગલ ઉદયમાં આવવાથી ૐ મિશ્ર ભાવ વર્તે છે. એકલું અશુદ્ધ મિથ્યાત્વ તો તત્ત્વની અરુચિ અને અતત્ત્વની રુચિ કરાવે છે. . (૪) અવિરતિ-સમ્મદ્રષ્ટિ ગુણસ્થાનક : 5 5 5 5 94 Jain Education International $ 5 For Private & Personal Use Only ક 546 ॐ શુભ અધ્યવસાય દ્વારા મિથ્યાત્વના અર્ધશુદ્રને બદલે પૂર્ણ શુદ્ધ કરેલા કર્મપુદ્ગલ ઉદયમાં આવે છે ત્યારે ક્ષાયોપમિક સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે. મિથ્યાત્વનો તદ્ન ઉપશમ કરી દેવામાં આવે, અર્થાત્ એનો વિપાક-ઉદય એટલે કે રસનો અનુભવ તો નહીં; પરંતુ પ્રદેશઉદય પણ નહીં, ત્યારે ઉપશમ ૐ સમ્યક્ત્વ પ્રગટે છે, અને મિથ્યાત્વનાં સર્વ પુદ્ગલોને મૂળ સત્તામાંથી સર્વથા ક્ષય કરી દેવામાં આવે, ત્યારે ક્ષાયિક - સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે. અહીં સમ્યક્ત્વના યોગે હિંસાદિ પાપને ત્યાજય માની એના તરફ અરુચિ કરી હોવા છતાં, હજી એ હિંસાદિનો સ્થૂલ પણ ત્યાગ કરવાની પ્રતિજ્ઞા અર્થાત્ સ્થૂલવિરતિ આત્મા નથી કરી શકતો, તેથી આ ગુણસ્થાનકને અવિરતિ સમ્મદ્રષ્ટિ | ગુણસ્થાનક કહેવામાં આવે છે. (૫) દેશવિરતિ ગુણસ્થાનક : દેશવિરતિ એટલે અંશે વિરતિ, અર્થાત્ સ્થૂલ અહિંસાદિ વ્રતો. એ જયારે ૪૭ ** 946 946 94% 94% 5 5 94€ 94 ऊँ 94 www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy