SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ - મુક્તિબીજ ૩. ઉચિત સઘળું આચરે - અનુચિત પ્રવૃત્તિથી દૂર રહે. ચરમાવર્તકાળમાં જ હોય છે. આવી અપુનર્બન્ધ દશા (ચરમ=છેલ્લું=ચરમાવર્ત એટલે હવે જેને મોક્ષે જવા પૂર્વે છેલ્લા પુદ્ગલ પરાવર્તનો કાળ ચાલુ થયો હોય. અચરમાવર્ત કાળમાં જીવને ધર્મના સંયોગ ૐ મળે છતાં એનામાં લેશમાત્ર મોક્ષમાર્ગની રુચિ પેદા થતી નથી. અર્થાત્ ચરમાવર્તમાં આવવું તે પણ જીવની મહત્ત્વની યોગ્યતા છે. પુદ્ગલપરાવર્તકાળ પુદ્ગલપરાવર્તકાળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી મપાય છે. પ્રસ્તુતમાં ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત સમજવાથી અન્ય પ્રકારનો ખ્યાલ આવશે. 5 5 5 5 એક જીવ આ વિશાળ ચૌદરાજલોકના પ્રત્યેક આકાશ (લોકાકાશ) પ્રદેશને મરણથી ક્રમશ: સ્પર્શે, અર્થાત્ આકાશના અમુક ભાગના પ્રદેશમાં રહીને મરણ પામ્યો હોય, ત્યાંથી ગણતરી કરીએ. વળી અન્ય આકાશ પ્રદેશે ભમતો ભમતો ૐ પાછો પહેલાના આકાશ પ્રદેશની લગોલગ આકાશ પ્રદેશે મરે, વળી પાછો અન્ય આકાશ પ્રદેશોએ ભવો કરતાં કરતાં વળી પૂર્વના આકાશ પ્રદેશની લગોલગ મરે, એમ મરણ કરતો આકાશ પ્રદેશની લગોલગ સ્પર્શતો સ્પર્શતો જયારે | ચૌદરાજલોકના લોકાાશના સર્વપ્રદેશોને સ્પર્શી રહે, તેમાં જેટલો કાળ જાય તે એક ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તકાળ કહેવાય. 15 આવાં મરણ કરતો અનંતા કાળચક્ર, અનંત ઉત્સર્પિણીઓ, અવસર્પિણીઓ પસાર થાય છે, આમ અસંખ્ય વર્ષો પસાર થાય છે. જીવને આ સંસારમાં આવા અનંતા અનંતા પુદ્ગલપરાવર્ત વીતી ગયા. એ સર્વેને અચરમાવર્તકાળ 6 કહે છે. માત્ર મોલે જવા પૂર્વેનો છેલ્લો પરાવર્ત એ ચરમાવર્તકાળ. એવી યોગ્યતામાં કર્મ કે પુરુષાર્થનું મહત્ત્વ નથી, પણ જીવનો ભવ્યત્વ સ્વભાવ અને સ્વકાળ છે. 卐 卐 જેવી રીતે શરીરમાં મહાન વ્યાધિનો વિકાર હોય ત્યારે દૂધ - ખીર જેવી પૌષ્ટિક વસ્તુની સાચી રુચિ થતી નથી, તેમ અચરમાવર્તકાળમાં જીવને મોક્ષ પ્રત્યે રુચિ થતી નથી. આત્મસ્વરૂપ પ્રત્યે દ્રષ્ટિ જ જતી નથી. તેમાં અનાદિના નિબિડ રાગદ્વેષના પરિણામ રૂપ સહજભાવમળનું જોર હોય છે. તે ભાવમળ ચરમાવર્તમાં આવે ટળે છે. Jain Education International For Private & Personal Use Only ૪૪ K 5 *45 94 *5 94% 946 ક * *5 મક 94€ 946 946 946 www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy