SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ *************** * Sto S46 ક S46 ક S46 ક S46 ક S46 S46 ક – મુક્તિબીજ ઉપકરણો બીજાને આપવાં અને પ્રમાદ આચરણ આ ચાર શરીરદિકના અર્થે ક થાય તે અર્થદંડ, તેના પ્રતિપક્ષીપણે (અર્થાત્ પોતાના શરીરાદિકના પ્રયોજન 8િ .! સિવાય) જે કાંઈ વગર ફોગટનું કરવામાં આવે તે અનર્થદંડ, એવા ચાર પ્રકારના | અનર્થદંડનો ત્યાગ કરવો તે ગૃહસ્થોનું ત્રીજું ગુણવત કહેવાય છે. ૯. સામાયિક નામનું નવમું શિક્ષાવ્રત-૧ : આર્તરૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી તથા સાવઘ (સપાપ) કર્મનો ત્યાગ કરી એક મુહૂર્ત પર્યત જે સમભાવમાં રહેવું તેને સામાયિક વ્રત કહે છે. સામાયિક વ્રતમાં રહેલા સ્થિર પરિણામવાળા ગૃહસ્થીઓને પણ ચંદ્રાવતંસક રાજાની માફક સંચય કરેલ કર્મનો ક્ષય થાય છે. ૧૦. દેશાવકાશિક નામનું શિક્ષાવ્રત -૨ : છઠ્ઠા દિવ્રતમાં જે | પરિણામ જવા આવવાનું રાખવામાં આવ્યું છે તેનો દિવસે તથા રાત્રે સંક્ષેપ | કરવો તે દેશાવકાશિક વ્રત હેવાય છે. ૧૧. પૌષધોપવાસ: નામનું શિક્ષાવ્રત -૩ : ખાસ પર્વમાં ! ઉપવાસાદિ તપ કરવો, પાપવાળા સદોષ વ્યાપારનો ત્યાગ કરવો, બ્રહ્મચર્ય પાળવું અને સ્નાનાદિ શરીરની શોભાનો ત્યાગ કરવો એમ પૌષધવ્રત ચાર પ્રકારનું છે. - આહારને મૂકીને બાકીના ત્રણ પ્રકારનો સર્વથા ત્યાગ કરનારને સામાયિક ઉચ્ચરવું જરૂરનું છે અને તે ત્રણ સાથે આહારનો ત્યાગ દેશથી કે સર્વથી બંને પ્રકારે થઈ શકે છે. દેશથી ચારે પ્રકારના ત્યાગ કરનારને આખા દિવસ માટે સામાયિક ઉચ્ચરવાનું નથી પણ જ્યારે બધો ત્યાગ કરે ત્યારે ઉચ્ચરી શકાય છે. આ પોષધ | ચાર પ્રહરનો કે આઠ પ્રહરનો થઈ શકે છે. ૧૨. અતિથિસંવિભાગવત નામનું શિક્ષાવ્રત-૪ : ચાર પ્રકારનો આહાર, અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ (૧) પાત્રો,(૨) વસ્ત્ર અને (૩) ક રહેવાનો મુકામ (૪) આ અતિથિઓને (સાધુઓને) આપવું તે અતિથિ સંવિભાગ નામનું વ્રત કહેલું છે. * ગૃહસ્થને પાળવામાં આ બાર વ્રત સમકિતભાવની વૃદ્ધિ અને શુદ્ધિ કરનારા છે. અલ્પાધિકપણે આ વ્રત ગ્રહણ કરનાર સમગ્ર દૃષ્ટિ આત્મા પાંચમા | ગુણ સ્થાનકે દેશ વિરતિ સમ્યગુદૃષ્ટિ કહેવાય છે. ક S46 ક S46 S46 glo gle ste 64 646 F S16 * She ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy