SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ 가 업 아동 아 하음 아 아 음 * – મુક્તિબીજ "| ૧) જ્યારે જયારે પાપ કરવાના પ્રસંગો આવે ત્યારે તીવ્ર પરિણામપૂર્વક પાપ ક ન કરે, પરંતુ પાપ કરવા છતાં મને ઘણું દુ:ખાય, હોંશે હોંશે પાપ ન કરે ! ના (૨) આ સંસારને નિર્ગુણ સમજે જે કંઈ સારભૂત દેખાય છે તે સર્વ | કાળાન્તરે રૂપાન્તર થનાર, ક્ષણવર્તી, અને દુ:ખદાયી છે. સારભૂત નથી એમ સમજે. (૩) ઉચિત સ્થિતિનું આચરણ કરે. પોતે જે માનવાદિ ભવ પામ્યો, જે અધિકાર પામ્યો, તેને ઉચિત પરને પીડા ન કરવી, યોગ્યને માન આપવું. પટવૃત્તિ ન સેવવી, નિખાલસ દીલ અને ભદ્રપરિણામ રાખવા, ઈત્યાદિ ઉચિત | આચરણ કરે. આવી ઉંચી ઉચી પરિણામની (અધ્યવસાયની - વિચારોની) ધારાઓમાં ચઢતાં આ આત્માને ત્રણ કરણ થાય છે. (કરણ એટલે અધ્યવસાય, વિચાર, પરિણામ, આશયવિશેષ) (૧) યથાપ્રવૃત્તકરણ, (ર) અપૂર્વકરણ, (૩) અનિવૃત્તિકરણ, સમજ્યની પ્રાપ્તિ થતાં પહેલાં આ ત્રણ કરણ અવશ્ય થાય છે. એકેક કરણનો કાળ “અન્નમુહૂર્ત જ કહેવાય છે. કારણ કે અન્તર્મુહૂર્તના નાના - | મોટા અસંખ્યાતા ભેદો છે. અડતાલીસ મીનીટને એક મુહૂર્ત કહેવાય છે. તેમાં કંઈક ઓછું તે અંતર્મુહૂર્ત એટલે ૨ થી ૯ સમયનું જધન્ય અંતર્મુહૂર્ત, ૧૦ * સમયથી બે સમયજૂન ૪૮ મીનીટ તે મધ્યમ અન્તર્મુહૂર્ત, અને એક સમયજૂન ૪૮ મીનીટ તે ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત કહેવાય છે. (૧) જેમ પર્વત પાસે ખળખળ વહેતી નદીના નીરના પ્રવાહમાં પર્વત ઉપરથી પડેલા પત્થરો તણાતાં આજુ-બાજુની ભૂમિ સાથે અથડાતાં અનાયાસે ગોળ થાય છે (આ ન્યાયને “નદી ઘોલપાષાણ ન્યાય કહેવાય છે) તેની જેમ આ આત્મા પણ અનાદિ કાળથી સંસારમાં અનેકવિધ ભવોમાં અથડાતાં વિવિધ દુ:ખોને અનુભવતો અનુભવતો સ્મશાનીયા વૈરાગ્યથી અનાયાસે ક્યારેક વૈરાગ્યના વિચારવાળો બને છે. તેને હૃદયદ્રાવક રુદનો સાંભળીને પણ સંસારની અસારતા લાગે છે. આ ભવ અસાર છે, દુઃખહેતુ છે, હેય છે, અત્તે દરેકને | જરા-મરણ આવવાનાં જ છે. ઈષ્ટના વિયોગો અને અનિષ્ટના સંયોગો થવાના | જ છે. ઈત્યાદિ વિચારધારાથી સહજભાવે આવેલા વૈરાગ્યના પરિણામોને ખા શાસ્ત્રમાં યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. 가도 이 F F 마음 마음 마음 마음 가 E F S S 마음 가 1 마음 | H ૧૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy