SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ [ ક મુક્તિબીજ ' 가 ક સમ્યક્ત પ્રાપ્તિનું દોહન 가도 ક 가도 ક 가 ક 가 ક 5 ક 5 F. 5 F 가 가도 (પંડિત ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા લિખીત ચૌદગુણ સ્થાનકમાંથી ઉદ્ભૂત) શરીરમાં જેમ મહાવ્યાધિનો વિકાસ વ્યાસ થયો હોય ત્યારે સમગક પ્રકારે પથ્ય વસ્તુનો આશય કદાપિ થતો નથી. તે જ પ્રમાણે ચરમાવર્તથી અન્યત્ર (બીજા કાળે) ભારે ભાવમલ (ભારે કર્મોનો ઉદય) હોવાથી પ્રધાનતાએ મોક્ષનો | આશય આવતો નથી. - અચરમાવર્તનો કાળ તે ધર્મ ને માટે સંસારમાં બાળકાલ કહેલ છે, અને ચરમાર્વત તે ધર્મનો યુવાકાળ છે. બન્ને કાળમાં ચિત્ત જુદું હોય છે. આ ચરમાવર્તમાં ભવ્યાત્માને તથાસ્વભાવે ધર્મરાગ પ્રગટ થાય છે. અહિંથી આગળ હવે કરાતો આ ધર્મ તે શુદ્ધધર્મ થાય છે. ચરમ પુલ પરાવર્તનના કાળમાં જ તથાભવ્યત્વનો પરિપાક થવાથી આ| ખા સંશુદ્ધચિત્ત આત્માને નક્કી પ્રગટ થાય છે. પરંતુ અન્યકાળે (અચરમાવર્ત કાળે) આ સંશુચિત્ત હોતું નથી એમ જ્ઞાની પુરુષો કહે છે. ચરમ પુદ્ગલપરાવર્તન કાળે આ ભાવમેલનો ક્ષય જીવોને થાય છે કારણ કે તે કાળે ભાવમલના ક્ષયનાં આ લક્ષણ (શાસ્ત્રમાં) કહેલાં છે. આ પ્રમાણે જ્યારે સંસારમાં રખડવાના ભાવો પાકી જાય છે. મોક્ષની | || અભિમુખતા થાય ત્યારે તથાભવ્યત્વનો પરિપાક થવાથી આ જીવને ધર્મ સંજ્ઞા રચે છે. પછી તે લૌકિક ધર્મ હોય કે લોકોત્તર ધર્મ હોય પરંતુ દુ:ખીઓ પ્રત્યે દયા, ગુણવાન પુરુષો પ્રત્યે અદ્વેષ, ઉપકારો પ્રત્યે વિનય ભાવ, દેવ-ગુરુઓ પ્રત્યે | પૂજ્યભાવ, ગ્લાન-સંતપ્ત જીવો પ્રત્યે વૈયાવચ્ચનો ભાવ, દરિદ્ર જીવો પ્રત્યે દાનાદિનો ભાવ, ઇત્યાદિ ધર્મ કરવો કરાવવો, સાંભળવો, સંભળાવવો, અને તેમાં || જોડાવાનું રુચે છે. અહિંથી જીવનું યત્કિંચિત્ ઉર્ધ્વગમન શરુ થાય છે. આવી લૌકિક ધર્મસંજ્ઞાઓમાં પ્રવર્તતાં, ધર્મબુદ્ધિએ હોમ-હવન-પૂજા-પાઠ કરતાં, લૌકિક પરોપકારનાં કાર્યો કરવા રુપ ધર્મ કરતાં કરતાં ચરમાવર્તમાંથી લગભગ અડધુ આવર્ત નીકળી જાય અને અર્ધ પુલ પરાવર્તન જેટલો કાળ જીવનો બાકી રહે ત્યારે ઉપરના ગુણો પ્રાપ્ત થવાના બીજભૂત ગુણો આવવા લાગે છે. H 가도 G 5 가 5 _ 가 _ 5 5 가요 ૧૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy