SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ 546 G46 G4c G46 F Ho _F 946 946 546 GF S4 - મુક્તિબીજ - અનિવૃત્તિકરણ : છેલ્લા યથાપ્રવૃત્તકરણ વખતે આયુષ્ય સિવાયના સાતે | ય કર્મની સ્થિતિ તૂટી પડીને અંત: કો. કો. સાગરોપમની થઈ ગઈ હતી. હવે _| આ અપૂર્વકરણમાં તેથી પણ સંખ્યામા ભાગની માત્ર સ્થિતિ રહી, સંખ્યાતા બહુ ભાગનો નાશ થયો તેમજ એ કર્મોના રસો પણ તૂટ્યા. અર્થાત્ એ કર્મો ખાં કાંઈક નિર્બળ થયાં. માટે જ અપૂર્વકરણ દ્વારા આત્મા (મિથ્યા મોહનીય કર્મ) રાગ-વના તીવ્ર રસરૂપ ગ્રન્થિને ભેદી નાંખે છે. એટલે કે મિથ્યાત્વ મોહનીય કર્મનો સત્તામાં રહેલાં તીવ્ર રસ તૂટી પડે છે, તે એકદમ મંદ પડી જાય છે. જેથી આગળનું કામ સરળ થાય છે. આ અપૂર્વકરણનો એક અંતર્મુહૂર્તનો કાળ પૂર્ણ થતાં આત્મા ક અનિવૃત્તિકરણના એક અન્તર્મુહૂર્તના કાળમાં પ્રવેશે છે. અહીં પણ અપૂર્વ સ્થિતિઘાતાદિ ચાલુ તો રહે જ છે, પણ આ કરણમાં એકસાથે તે તે સમયે F| પ્રવેશતા જીવોના અધ્યવસાય ઉત્તરોત્તર સમયે વધતા જાય છે અને તે તે સમયે એક સાથે તે અનિવૃત્તિકરણમાં ચડેલા તે જીવોના પરસ્પરના અધ્યવસાય ભાવમાં ફેરફાર હોતો નથી. અપૂર્વ કરણમાં તો એક જ સમયે તેમાં પ્રવેશેલા જીવોના અધ્યવસાયમાં પરસ્પર ફેરફાર રહ્યા કરે છે. જેમ કે ૧ લાખ જીવ એક સાથે અપૂર્વ સ્થિતિઘાતાદિ કરે છે. પરંતુ જયાં Fા સુધી તેના પરસ્પરના અધ્યવસાયમાં તારતમ રહે છે ત્યાં સુધીનો એક - અન્તર્મુહૂર્તનો કાળ એ અપૂર્વકરણ કહેવાય છે. પણ આ કાળને તારતમ્યવાળું "| કરણ એટલે કે નિવૃત્તિવાળું (નિવૃત્તિ તારતમ્ય) કરણ કહેવાય છે. હવે અપૂર્વ સ્થિતિઘાતાદિ તો ચાલુ જ છે પણ જે સમયથી એક સાથે ને | જીવો પરસ્પરના તારતમ્ય વિનાના અધ્યવસાયવાળા એટલે કે સરખા અધ્યવસાયવાળા બની જઈને આગળ આગળના સમયમાં પસાર થતા જાય | છે. તે સમયથી તે જીવો અનિવૃત્તિકરણમાં (પરસ્પરના અધ્યવસાયના તારતમ્ય વિનાના) કરણમાં પ્રવેશ્યા એમ કહેવાય છે. અહીં પ્રવેશતાં ૧ લા સમયે જે અધ્યવસાય વિશુદ્ધિ હોય છે, તેના કરતાં અનંતગુણા વિશુદ્ધિ ઉત્તરોત્તર સમયે સાથે પ્રવેશેલા બધા જીવોની એકસરખી રીતે વધતી જ જાય છે. પણ એમાં *| પરસ્પરની વિશુદ્ધિમાં જરા ય ઓછા-વત્તાપણું થતું નથી. માટે જ આ કરણને | અનિવૃત્તિકરણ કહેવાય છે. આ અનિવૃત્તિકરણ પણ એક અન્તર્મુહૂર્તના સમય જેટલું જ હોય છે. S46 S4 _F_F_F_F S46 S46 S46 _F F S46 F S46 S46 S46 OF S46 ૧૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy