SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ 5 5 5 5 _F_F_F_F_F_F_F % 5 5 5 મુક્તિબીજ | માંડીને અંતર્મુહૂર્ત સુધીનાં સ્થિતિસ્થાનોમાં અસંખ્ય ગુણના ક્રમે ગોઠવે. અર્થાત ક ૧ લાખ દલિક ઉપાડ્યા હોય તેમાંથી પહેલા સમયે ઉદયમાં જે કર્યો છે તેના ૪ ભેગા ૧૦૦ દલિક ગોઠવે. બીજા સમય ઉદયમાં આવનાર જે કર્મો છે તેના ભેગા ૫૦૦ દલિક ગોઠવે. ત્રીજા સમયે ઉદયમાં આવનાર જે કર્મો છે, તેના ભેગા ૨૫૦૦ દલિક ગોઠવે. આમ ઉદય સમયથી માંડી અંતર્મુહૂર્ત સુધીનાં સ્થિતિસ્થાનોમાં અસંખ્ય ગુણના ક્રમથી થતા દલિક રચનાને ગુણશ્રેણિ કહે છે. | આ રીતે, અપૂર્વકરણના ચરમ સમય સુધી ગુણશ્રેણિની રચના ચાલુ રહે છે. (૪) અપૂર્વ ગુણસંક્રમ : અહીં અસંખ્યાત ગુણ-અસંખ્યાત ગુણ ચડતા ક્રમે અશુભ કર્મદલિકોનું નવાં બંધાઈ રહેલાં શુભ કર્મોમાં સંક્રમણ કરે, અર્થાત્ અશુભને શુભમાં પલટાવી નાંખે. સામાન્યત: તો નિયમ એવો છે કે | બંધાતા શુભ કર્મમાં પૂર્વે બાંધેલા સજાતીય અશુભ કર્મના અમુક અંશોનું અને બંધાતા અશુભ કર્મમાં પૂર્વબદ્ધ સજાતીય શુભકર્મના અમુક અંશોનું સંક્રમણ ચાલુ જ હોય છે. પરંતુ સંક્રમ પામતો અંશ પ્રતિસમય અસંખ્ય ગુણ બનતો જાય તેને ગુણસંક્રમ કહે છે. અહીં મુખ્યત્વે મિથ્યાત્વ કર્મનો વિચાર છે. આ કર્મમાં કોઈ કર્મનો સંક્રમ થવાનો પ્રબંધ નથી. તેથી આ મિથ્યાત્વ મોહનીય કર્મનો અપૂર્વ ગુણસંક્રમ અહીં બનતો નહતો. પણ બાકીના આયુષ્ય સિવાય સાતે કર્મોમાં ગુણસંક્રમ ચાલુ છે. (૫) અપૂર્વ સ્થિતિબંધ : અહીં અંતર્મુહૂર્તે - અન્તર્મુહૂર્તે નવા નવા | કર્મબંધમાં કાળસ્થિતિ, પલ્યોપમના સંખ્યામા ભાગ જેટલી ઓછી ને ઓછી નકકી થતી જાય છે. એવો નિયમ છે કે અધ્યવસાયનો સંક્લેશ જેમ વધારે તેમ | સ્થિતિબંધ વધારે ને વધારે અને અશુદ્ધિ વધારે તેમ સ્થિતિબંધઓછો ઓછો થાય. શુભ હોય કે અશુભ હોય બે ય કર્મ માટે આ નિયમ છે. જ્યારે રસબંધમાં નિયમ એવો છે કે સંક્લેશમાં શુભ કર્મમાં મંદરસ અને અશુભનો તીવ્રરસ થાય, જ્યારે વિશુદ્ધિમાં શુભનો તીવ્ર અને અશુભનો મંદરસ બંધાય. સારાંશ એ છે કે અપૂર્વકરણ વખતે શુભ અધ્યવસાય પ્રતિ સમય ચડતી ૪ માત્રામાં હોય છે. તેથી સમયે સમયે ઉપરોક્ત પાંચે ય કાર્ય ચડતા ચડતા થાય . | છે. આ રીતે સ્થિતિઘાતાદિ પાંચે ય કદાપિ થયા ન હતા. કેમ કે આવો ચડતો | | પરિણામ કદાપિ આવ્યો ન હતો. માટે જ આ પાંચેયને અપૂર્વ કહેવામાં આવે છે. આ વર્ષોલ્લાસવાળું અપૂર્વકરણ અન્તર્મુહૂર્તકાળ સુધી જ ચાલે છે. F 5 E 5 F 5 5 5 5 5 5 5 ૧૬૩ 5| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy