SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિબીજ હું શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મા છું એવું શ્રુતજ્ઞાનપણ ભાઈ તેં ક્યાંથી મેળવ્યું ? ૐ અને એવા જ્ઞાન પછી તરત તારો મોક્ષ પણ થતો જણાતો નથી. માટે વિચારવું કે ૐ આ નિશ્ચય દૃષ્ટિ તે લક્ષ્ય માટે છે તે લક્ષ્ય થવામાં ઉપકારી કારણો તે વ્યવહાર ધર્મ છે. જીવો પોતાની યોગ્યતા પ્રમાણે વ્યવહારધર્મમાં આવે છે. પણ તેમનું લક્ષ્ય દ્રવ્યદૃષ્ટિનું હોવાથી તેઓ સાધ્યને સિધ્ધ કરે છે. 5 卐 5 ન નિશ્ચયવ્યવહાર આંખ અને પાંખ જેવા છે પક્ષીને આંખ હોય ને પાંખ ન હોય તો દિશા જૂએ પણ ઉડી ન શકે. પાંખ હોય ને આંખ ન હોય તો ઉડે પણ દિશા પકડી ન શકે. તેમ કેવળ નિયધર્મને માને તો દિશા જાણે પણ આરાધી ન શકે, તેમ કેવળ વ્યવહારધર્મ વાળો (ક્રિયા) આરાધના કરે પણ દિશા પકડી ન શકે. ૐ માટે બરાબર જાણવું કે જયાં નિશ્ચય ધર્મ છે ત્યાં વ્યવહારધર્મ ગૌણ પણે હોય છે. છતાં જીવને ઉહાપોહ થાય કે સમ્યગદર્શનની સાધના કેમ કરવી. 5 5 5 જો કે આ સર્વ લેખોમાં પાત્રતાની ચાવીઓ વિવિધ રૂપે બતાવી જ છે. સૌથી પ્રથમ મોટી ચાવી તો સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસા છે. એ જિજ્ઞાસા દ્વારા જીવનમાં ક્યાય વિષયની મંદતા થાય છે. અર્થાત્ સંસાર પ્રત્યે ઉદાસીનતા આવે છે. ત્યાર પછી તેને પુણ્યયોગે બોધિબીજને યોગ્ય સંયોગોની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી તેને જીનદર્શનમાં ઉત્તમભાવના થાય છે. ગુરૂ આજ્ઞામાં કે શરણમાં રહેવામાં સઉલ્લાસ વર્તે છે, બોધશ્રવણમાં રૂચિ વધે છે, વ્યવહાર જીવનમાં સૌ સાથે સમાનભાવ થાય છે. આખરે અંતર્મુખતા વૃદ્ધિ પામે છે. 卐 મિત્રો સમ્યગ્દર્શન કેવળ સાધનાથી પ્રાપ્ત થતું નથી. એતો પ્રામની પ્રાપ્તિ છે. આત્મા સાથે સ્વગુણરૂપે રહેલું આ રહસ્ય તિરોભાવ થયું છે. તેના પર આવરણ | આવ્યું છે, તે આવરણ ટાળવાનો પ્રયત્ન સાધ્ય કરવાથી સમ્યગદર્શન સ્વમાં સ્વી → જ પ્રગટ થાય છે. આવરણ ટાળવાનો પ્રયત્ન તે સાધના કહેવાય ખરી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ક્રમ ન હોય કારણ તે ગુણ છે સહભાવી હોવાથી અક્રમ છે, અને સમ્યગદર્શન રૂપે જીવની અવસ્થા તે ક્રમભાવી છે. તેથી તેની સાધનાનો ક્રમ જાણીએ તો તે દિશા પકડવાનું સરળ થાય ખરું. 5 卐 卐 5 5 છતાં પ્રસ્તુત ગ્રંથ વાંચીને એવા ભાવ થાય કે આ રત્ન પ્રાપ્ત કરવા જેવું છે, કરવું જ છે. તેણે પ્રથમ સર્વજ્ઞ વિતરાગદેવનું શરણ સ્વીકારી તેના દર્શન પૂજન ભક્તિ ૧૭ Jain Education International 946 946 For Private & Personal Use Only 946 5 5 H 946 946 946 946 946 946 ऊँ 946 946 946 99% www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy