SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધાત્મા પર વસ્તુના સ્વરૂપને જાણે છે ત્યારે પણ તેમાં હૂપ થઈને જાણતો નથી પરંતુ વારંવાર થતી એની એ જ ચેષ્ટાઓ જીવને દેહમાં આત્મબુદ્ધિનો ભ્રમ પેદા કરે છે. તે રસનાનાં તીખા કડવા, મધુર, ખાટા કે તૂરા રસને ગ્રહણ કરે છે ત્યારે તે તદ્રુપ થઈને જાણતો નથી, જેવો પોતાના જ્ઞાનમાં તકૂપ થઈને જાણે છે તેમ પરપદાર્થમાં તતૂપ થઈને જાણતો નથી. ઘાણનો વિષય છે સુગંધ અને દુર્ગધ. તે પદાર્થોના જડ પરમાણુઓ ઘ્રાણેન્દ્રિયને સ્પર્શે છે ત્યારે જ્ઞાન જાણવાનું લક્ષણ હોવાથી જાણે છે પરંતુ શુદ્ધાત્મા ધ્રાણમય સુગંધમય બનતો નથી. ચક્ષુ વડે તે કાળો, વાદળી, રાતો, પીળો કે ધોળો રંગ જુએ છે ત્યારે તે શુદ્ધાત્મા રંગમય થતો નથી. જ્ઞાનરૂપી દર્પણમાં તે તે પદાર્થ પ્રતિબિંબિત થવા છતાં જ્ઞાનસ્વરૂપ ઉપયોગ કોઈ રંગવાળો બનતો નથી. જેમ દર્પણમાં પ્રતિબિંબિત પદાર્થ દર્પણમાં જણાય છે પરંતુ દર્પણ પદાર્થરૂપ થતું નથી ત્યારે તેની અવસ્થામાં કંઈ પરિવર્તન થતું નથી તેમ કોઈ વર્ણ, રૂપ કે આકૃતિ ચક્ષુ દ્વારા જ્ઞાનમાં જાણવા છતાં આત્માની અવસ્થામાં કંઈ પરિવર્તન થતું નથી. આત્મા ત્યારે પણ જ્ઞાનસ્વરૂપે રહે છે. આત્માનો સ્વભાવ અન્ય પદાર્થને જાણવાનો છે પરંતુ તન્મય થવાનો નથી. તે પ્રમાણે સચિત અચિત કે મિશ્ર શબ્દના પુદ્ગલો કર્મેન્દ્રિય ગ્રહણ કરે છે ત્યારે ત્યાં રહેલા આત્મપ્રદેશોના ઉપયોગમાં તે શબ્દ પુદ્ગલોનો બોધ થવા છતાં તે શુદ્ધાત્મામાં શબ્દ પ્રત્યે કોઈ વિકલ્પતરંગ પેદા થતો નથી. કારણ કે સ્પર્ધાદિ પાંચ વિષયો અને તેને ગ્રહણ કરનારી ઇન્દ્રિયો સ્વસ્વરૂપે જડ છે, અને આત્મા ચૈતન્યસ્વરૂપ છે. તેથી તેમાં પદાર્થ જણાય છે ત્યારે શુદ્ધ ચૈતન્ય અધિકારીપણે રહે છે જેમ દર્પણમાં પ્રતિબિંબ પડવા છતાં દર્પણ તે પદાર્થરૂપ થતું નથી. યદ્યપિ આત્મા દર્પણની જેમ જ નથી, પરંતુ જ્ઞાનનો ૨ હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy