SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગ સ્વયં જાણવાની ક્રિયાવાળો છે, પ૨પદાર્થને ભોગવવાવાળો નથી. અજ્ઞાનવશ જીવ પદાર્થને જાણે છે ત્યારે કર્તૃત્વબુદ્ધિથી પરભાવનો કર્તા થાય છે. પરંતુ ચૈતન્યની શુદ્ધતા મૂળમાં પરપદાર્થના કર્તુત્વભાવ સાથે તન્મય થતી નથી. પરપદાર્થને જાણે છે ત્યારે પણ ચૈતન્ય સ્વમાં તન્મય હોય છે. જે જીવમાં આવી શુદ્ધતા અત્યાધિકપણે પ્રગટ થઈ છે તે જીવોએ પૂર્વજન્મમાં જે જે ધર્મભાવના કે આરાધના કરી હોય તેના સંસ્કારો તેમાં જોડાઈને વર્તમાનમાં જીવની આત્મભાવનાને પુષ્ટ કરે છે. જેમ તિર્યંચપણે ઉત્પન્ન થયેલ હાથીના ભવમાં મેઘકુમારે સસલાના રક્ષણ માટે પાળેલી દયાનો પ્રસંગ ભગવાન મહાવીરના મુખેથી સાંભળતાં જ મુનિપણાથી ચલિત થયેલા પુનઃ સ્થિરતા પામ્યા. તેમણે વિચાર્યું કે હાથીના ભવમાં ત્રણ અહોરાગ પગને ઊંચો રાખવાનું કષ્ટ વેઠી શક્યો અને અહીં તો રાત્રે પવિત્ર મુનિરાજોના ચરણોનો સ્પર્શ મને થયો હતો, તે હું સહી ન શક્યો ! આમ વિચારતાં આત્મનિષ્ઠા પ્રબળ થઈ, અને પુનઃ સંયમભાવમાં સ્થિર થઈ ઉત્કૃષ્ટપણે ચારિત્રધર્મ પાળી મુક્ત થયા! વર્તમાનમાં સાધકના જીવનમાં પણ આત્મભાવના સાથે પૂર્વના સંસ્કારનો પ્રકાશ મળે ત્યારે તેણે પરમાર્થમાર્ગમાં વધુ નિષ્ઠાવાન થવું. ગૌતમસ્વામી બીજા ભવમાં મત્સ્યરૂપે ઉત્પન્ન થયા હતા. સાગરમાં તરતા તરતા તેમણે મુનિ આકાર જેવું માછલું જોયું, અને જાતિસ્મરણ જ્ઞાનમાં જાણ્યું કે પૂર્વભવમાં અનશન લીધું હતું. છેલ્લા દિવસોમાં ગરમીના ત્રાસથી તૃષા સહી ન શક્યા. ત્યારે વિકલ્પ થયો કે સાગરના જળમાં માછલાં કેટલાં સુખી છે ? બસ પાણી જ પાણી. ભવિતવ્યતા કેવી કે એ સમયે આયુષ્યનો બંધ પડ્યો. આસક્તિ તેવી ઉત્પત્તિ. મૃત્યુ પામી એ જીવ સાગરમાં મોટા મત્સ્યપણે ઉત્પન્ન હૃદયપ્રદીપનાં અજવાળાં ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy