SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ કારણે મૂઢ જીવ તેમાં જ રમણ કરે છે. પુણ્યયોગે એવાં સુખો તો કેટલાય જીવો પામે છે અને સમય પૂરો થતાં બધું મૂકીને મહાપ્રયાણ કરે છે તેમાં તું શાને હરખાય છે? સો હજાર કે લાખ કરોડો, મળે તોય નહિ શાંતિ. સોનું રૂપું ને હીરા હોય, પણ દિલમાં સદા અશાંતિ, નીંદરમાં પણ દ્રવ્ય દેખીને, ઝબકી જઈએ જાગી, શું માંગીએ વીતરાગી ! અમે અંગે અંગે અનુરાગી.” કેટલાં બધાં સુખો છે ભીતર...? આ ભીતરી સુખો જેણે અનુભવ્યાં હોય તે તથાકથિત પૌગલિક સુખોને સુખ તરીકે નહિ પણ સુખાભાસ તરીકે જ જોઈ શકે. ઇન્દ્રિયો અને મનવચનકાયાના યોગો પરમાં જઈને આત્મધનને નષ્ટ કરી નાખે છે. વિષયોમાં ઉત્પન્ન થતાં સુખોમાં ભ્રમણાના ખેલ સિવાય શું છે? પરપદ આત્મદ્રવ્ય, કહન સુનન કછુનાહિ, ચિદાનંદઘન ખેલહિ, નિજ પદ તો નિજમાંહિ.” સામાન્ય રીતે જગતમાં જીવોને અત્યાધિક સુખ મળે છે તેવું તને પણ મળ્યું તેમાં તું શાને હરખાય છે? સુવ્રત શ્રેષ્ઠિ ઘરની પાસેની પૌષધશાળામાં રહ્યા છે. રાત્રીનો સમય. ચોરો ઘરે ચોરી કરીને ગયા. સુવ્રત શ્રેષ્ઠિ તો અનુપ્રેક્ષામાં લીન હશે. કદાચ ચોરોનો સંચાર જણાય તોપણ શું ફરક પડે ? પૌષધદ્રત છે, પરિગ્રહાદિનો ત્યાગ છે. કોનું ઘર? કોની સંપત્તિ ? કોનું શરીર? અદ્વૈતભાવના તાર આત્મતત્ત્વ સાથે જોડાઈ ગયા છે. હું એટલે આત્મા, બાકી બધું પર. બે જ ખાનાં છે. એક સ્વ અને બીજું પર. પરના ખાના સાથે સંબંધ નથી. ચોરોને કોટવાલે પકડી લીધા. સવારે રાજાના સેવકો બોલાવવા ૮૨ - હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy