________________
જેમ જેમ સામગ્રી વધે તેમ તેમ ઇન્દ્રિયોની માંગ વધે છે. વળી તે સુખ સ્વાભાવિક નથી કે જે સદા ટકી રહે. આથી તેમાંથી મળતું સુખ ક્ષણિક છે.
તમે વિચારી જોજો, તમે મોટાં ઘર વસાવી તેને માટે ઘણું ધન જોઈએ. તે મેળવવા દેશપરદેશ રખડો. બાર ચૌદ કલાક કામ કરો અને ઘરમાં રહેવાનો સમય કેટલો?
પુષ્કળ ધન ખરચીને હીરાના સેટ વસાવ્યા, તે પહેરવાનો સમય કેટલો? સાચવવાની ચિંતા વધારામાં.
તનતોડ મહેનત કરીને કમાણી ખૂબ કરી પણ થાળી પર બેસીને ખાવાની રોટલી કેટલી ? કરોડોનું ધન મળ્યા પછી એક કે બે રોટલી ખાય, તે પણ વિગઈ ત્યાગ માટે નહિ પણ દેહ સ્થૂલ કે બેડોળ ન બને, કલરોસ્ટોલ વધી ન જાય માટે લૂખી ખાવાની. મીઠાઈ તો ચાખવા માટે જ ખાવાની. સૂવાનાં સુંવાળા અને અદ્યતન સાધન છતાં ઊંઘ માટે ગોળી લેવી પડે આવું અલ્પ સુખ?
હવે વિચાર કે તનતોડ મહેનત કરનાર એક મજૂર કે પટાવાળા પણ સૂકી બે રોટલી ખાવા જેવું મેળવી લે છે. ક્યારેક મીઠાઈ ખાવા મળે છે અને તૂટીફૂટી ખાટમાં નિરાંતે ઊંઘે છે. તેને પણ સ્વલ્પ સુખ મળે છે. જો આમ કશો ફરક નથી તો તને હરખ શાનો થાય
છે ?
મૃત્યુ પછી રંક અને રાય ધરતી સરખી જ રોકે છે, કદાચ એકનું શબ લાકડાથી બળે એકનું શબ સુખડથી બળે, શબને શું ફરક પડવાનો છે? તેને તો લાકડાથી બાળો કે સુખડથી બાળો આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા'. તો પછી સ્વલ્પ સુખવાળી બાહ્ય સામગ્રીમાં તને શો હરખ થાય છે?
તારા દીકરા એ.સી. ઓરડામાં, લાખોના ઝૂમરોમાં જલતા દીવા નીચે, મખમલની ખુરશી પર બેસીને ભણે, છતાં કંઈ અન્ય પ્રયત્ન
૮૦ હૃદયપ્રદીપનાં અજવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org