SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સુખદુઃખ એકસરખાં રહેતાં નથી. વળી પૂર્વે નિકાચિતપણે બાંધેલાં પાપજનિત દુઃખો આ જન્મમાં પ્રયત્ન છતાં ટળતાં નથી. વળી જીવ સુખના રાગથી સુખને સાચવવા જાય છે તો તે વળી પારાની જેમ છટકી જાય છે. પૂર્વજન્મમાં સર્જન કરેલા પરિણામનો ઉદય થાય છે ત્યારે વણકપ્યાં સુખદુઃખ ઉદયમાં આવે ત્યારે સુખમાં લોલુપ ન થવું અને દુઃખમાં દીન ન થવું. તેને કર્મની લીલા જાણી વિવેકસહ રહેવું. રામ જેવા મહામાનવો પણ વનમાં ભમ્યા. સીતા જેવી સતીએ વનનાં દુઃખો રામને સહારે સહી લીધાં, એક વરસ રામનો વિયોગ અને રાવણનો અનિષ્ટ સંયોગ સહેવો પડ્યો. છતાં સતીત્વ જાળવીને રહ્યાં. પૂર્વજન્મના કોઈ કર્મે નળને દુર્બુદ્ધિ સુઝાડી. રાજપાટ છોડવાં પડ્યાં. તેમાં વળી નળે અર્ધી રાત્રે દમયંતીને અર્ધ વસ્ત્ર ત્યજી દીધી. પોતે કૂબડાને વેશે નાતજાત ગોપવીને રહ્યો. રાજારાણીનાં સુખ તો ક્યાંય પાછળ રહી ગયાં. હરિશ્ચંદ્ર સત્યને સાચવવા રાજપાટ ત્યજી રાણી સાથે નીકળી ગયા. તારામતીએ શૂદ્રને ઘેર દાસી તરીકે કામ કર્યા. હરિશ્ચંદ્રને ઉદરપૂર્તિ માટે સ્મશાને ચાંડાળ તરીકે કામ કરવાં પડ્યાં. આમ સુખને સરી પડતાં વાર લાગતી નથી. એવા સુખ ઉપર વિવેકી માનવ વિશ્વાસ રાખતો નથી. પોતે કદાચ પુણ્યયોગે શુભયોગમાં હોય તો પણ જગતમાં ચાલતી સુખદુઃખની લીલા જોઈને વિવેકપૂર્વક જીવવું. દુઃખ દૂર કરવાનો અને સુખ પ્રાપ્ત કરવાનો નિરંતર ઉદ્યમ કરવા છતાં તમારું જો લાભાંતરાય કર્મ ઉદયમાં હશે તો તમે ગમેતેવો પ્રયત્ન કરો પણ તમને જરા પણ ધન મળશે નહિ. ત્યારે ધીરજપૂર્વક સમતાથી ઉદ્યમ કરવો, સાથે સાથે ધર્મ અનુષ્ઠાનોનું સેવન કરવું. ૭૬ હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy