SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે. સ્ત્રીઓના વિકાસના બહાને જાહેરમાં શીલનું લિલામ થઈ રહ્યું છે. વડીલો અને આજની સુધારક કન્યાઓ પતંગિયું જેમ દવામાં ઝંપલાવી મરણને શરણ થાય છે તેમ આ કન્યાઓ વિલાસની, ધનની તૃષ્ણાની આગમાં ઝંપલાવી શીલનું મૃત્યુ જ નિપજાવે છે. આમ યુવાપેઢી રૂપના કામમાં/તાનમાં ભાન ભૂલી છે. જૂની પેઢી રૂપિયાની તૃષ્ણામાં ભાન ભૂલી છે. આ જ યુવાનો અને વડીલો ધર્મસ્થાનમાં જાય ત્યાં શું લઈ જાય? ત્યાં પણ વેશસ્પર્ધા અને કેશસ્પર્ધાઓ હોય તેવું વાતાવરણ બને છે. ત્યાં ઉપદેશની શી અસર ઊપજે? મુનિમહારાજા પાસે વંદન કરવા જતાં વિવેક પણ ન સચવાય અને પરિણામે સાધુજનો પણ ક્યાંક વિવશ બની જાય, તેવાં પરિણામ નીપજે છે. પૂર્વના પ્રબળ ગુણોના સંસ્કારયુક્ત કોઈ પુણ્યશાળી જીવ જન્મથી ગુણસંપન હોય છે. મહદ્અંશે જીવન ગુણવાનના સંપર્ક વડે ગુણો ઉપાર્જન કરવા પડે છે, સદ્ગુરુના યોગે વિનય વડે ગુણસંપન્નતા સાંપડે છે. જ્ઞાનસંપન્નતા પણ વધે છે. છતાં પણ જો ચિત્તના કોઈ ખૂણામાં કામનું ઝેર રહી ગયું તો તેનો સંસ્કાર બધી બાજી ધૂળમાં મેળવી દે છે. કટાસણા પર બેસવાનું પ્રયોજન આત્મામાં ઠરવાનું છે તેને બદલે કટાસણા પર બેસીને જો કાર્યાલયની ખુરશી પર બેસે, ટીવીની સામે સોફા પર બેસે, નાટકના ખેલ જોવા થીએટરમાં બેસે તો ભાઈ આવી વિકૃત ઇચ્છા વાસના થી ભરેલું ચિત્ત તને કેટલાં બંધન આપશે ? અને કંઈક ગુણો પ્રાપ્ત થયા હશે તે પણ ગાયબ થઈ જશે. તારે જો એ ગુણો જાળવવા હોય તો પુણિયા શ્રાવકની અંતરંગદશા તારા મનોમય જગતમાં ગોઠવી દે. જગતનાં તમામ પ્રલોભનોથી મુક્ત થઈ સઘળા સગપણથી મુક્ત બની, પુણ્યપાપ, સુખદુઃખના કંથી રહિત કેવળ નિર્મળ પરિણતિ યુક્ત એ અડતાળીસ મિનિટમાં સિદ્ધશિલાના ક્ષેત્રનું સુખ માણતા એ મહાશ્રાવકનું સ્મરણ હૃદયપ્રદીપનાં અજવાળાં ૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy