SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિ પણ કેળવે તો સંભવ છે તે ગુણવાન કહેવાય કે શાસ્ત્રજ્ઞ કહેવાય. ચિત્તમાં ઊંડે ઊંડે પણ જો કોઈ કામના રહી હશે તો નાના સરખા નિમિત્તથી તે વેગવતી થઈને દીર્ઘકાળના તપ ત્યાગનાં વહાણોને ડુબાવી દે છે. વિશ્વભૂતિ માસક્ષમણના તપસ્વી, ભત્રીજાભાઈઓના શબ્દબાણથી વીંધાઈ ગયા. સાધુનો સમભાવ છૂટી ગયો, મહા આક્રોશ વડે નિયાણું કર્યું. તપની હૂંડી ચૂકવી દીધી. પરાક્રમોમાં સમર્થ રાવણ સીતાના રૂપનો મોહ પામી સર્વસ્વ હારી બેઠા. આત્મા સ્વસ્વરૂપે અનંતનિધાન - ગુણયુક્ત છે. છતાં જડપ્રકૃતિના પ્રભાવે જીવનને દોષોથી ભરી દે છે. આપણા સૌનો અનુભવ છે કે એક ક્રોધ કે લોભ જેવી પ્રકૃતિને દૂર કરતાં કેવા પ્રયત્નો કરવા પડે છે. તેમાં વળી કામ – સ્પર્શના સુખ માટે તો કંઈ જીવો વિચલિત થાય છે. મંદિષેણ મુનિએ સંયમ લીધો, વિકારભાવ ઊઠ્યો તેનાથી છૂટવા પર્વત પરથી ઝંપાપાત કરવા ગયા, દેવે બચાવી લીધા. છેવટે ગણિકાથી મોહ પામ્યા. સંસારી જીવ ક્યારે પણ દેહ વગર રહ્યો નથી એકેન્દ્રિયમાં હતો ત્યારે દીર્ઘકાળ કાયબળથી સુખ મેળવવાની સંજ્ઞાવાળો જીવ કાયાથી મળતાં સ્પર્શનાં સુખ ત્યજવાનું ભાન પણ ધરાવતો નથી. જેમ જેમ ઇન્દ્રિયોની વૃદ્ધિ થાય છે તેમ તેમ કામના વધતી જાય છે. અરે દીર્ઘકાળની સાધના પછી પણ કામનાઓ દગો દે છે. બુદ્ધ ભગવાન પાસે સાધના કરીને દસ વર્ષે શિષ્ય લોક કલ્યાણની આજ્ઞાર્થે હાથ જોડીને ઊભો રહ્યો. ભગવાને તેના પર જરા નજર કરી પાછી ફેરવી. શિષ્ય પણ સાધકની ભૂમિકાને જાણતો હતો, તે સમજી ગયો હજી સાધના પૂર્ણ નથી થઈ. પુનઃ દસ વર્ષ માટે સાધનામાં બેસી ગયો. હૃદયપ્રદીપનાં અજવાળાં ૪૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy