SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સાધન, પરમાત્મા જેવાં ઉચ્ચ તત્ત્વોની શ્રદ્ધા, અને સદ્ગુરુનો બોધ, એ વડે આત્મા મૃત્યુના રહસ્યને જાણે છે, અને મૃત્યુથી થાય છે. “આ મૃત્યુલોકમાં એકાદ વાર સ્વજનને ત્યાં જન્મના સમાચાર મળી શકે તો બીજી બાજુ મૃત્યુના સમાચાર મળવાની સંભાવના છે. ત્યાં તું નિત્ય રહેવાનાં વ્યર્થ સ્વપ્ન શા માટે સેવે છે. માટે જન્મોત્સવ કરી પુનઃ જન્મના સંસ્કારનું બીજ શા માટે વાવે છે. મહાત્માઓ પુનઃ જન્મ ન મળે તેવા દૃઢ સંકલ્પ બળે જીવનનો પ્રવાહ બદલે છે.’’ જ્ઞાનીજનોએ સંસારના સુખને કેમ વખોડી નાંખ્યું ! તેમનાં પુણ્ય તો એવાં હતાં કે સ્વર્ગ તેમની પાસે હાજર થાય. ભગવાન મહાવીરના સમવસરણને યાદ કરો. દેવલોકના દેવો ત્યાં દૈવી વાતાવરણ ઊભું કરતા. તેઓ જ કહેતા સંસારમાં સુખ નથી. ઘોર દુઃખ છે અને નરક નિગોદનાં દુઃખોને દર્શાવ્યા કે જીવો આ દુ:ખોથી બચો. અરે પાદરી ખ્રિસ્તીપણે પ્રભુને અરજ કરે છે કે મારી તો નબળાઈ છે સંસારને છોડવાની. પરંતુ પ્રભુ તમે તો જીવોને સંસારથી મુક્ત કરવાની ભાવનાવાળા છો તો મારી ઇચ્છા નહિ તો તમારી ઇચ્છા તો પાર પાડી. અર્થાત્ જીવ ગમે તે પ્રકારે સંસારના દુઃખથી છૂટવા ઇચ્છે છે. આથી બુદ્ધે પણ પોકાર્યું છે હે જીવો તમે જેને સુખ માનો છો તે તો ક્ષણિક ક્ષણિક ક્ષણિક જ છે. Jain Education International હૃદયપ્રદીપનાં અજવાળાં ૬૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy