SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ વાર જીવની શુભાશુભ ગતિને કારણે અંત સમયની લેશ્યા બદલાય છે. એટલે ગતિ પ્રમાણે મતિ થાય છે, અથવા છેલ્લે જે લેશ્યા-મતિ હોય તે પ્રમાણે આગામી જન્મનો બંધ પડે છે. વળી કોઈ વા૨ ધર્મી જણાતા માનવને અંત સમયે ધર્મતત્ત્વ પ્રત્યે અભાવ થાય છે ત્યારે ક્યાં તો અશુભ ગતિના બંધના કારણે લેશ્યા-મતિ બદલાઈ જાય છે. ધર્મમાર્ગે ન હોય પણ કોઈ શુભપળે ગતિનો બંધ થતાં અંત સમયે લેશ્યા-મતિ શુભ હોય છે. મૃત્યુની, આયુષ્યકર્મની આવી વિચિત્રતા જાણી કર્યો. જીવ જગતના મૃગજળ જેવા સુખનો ભરોસો કરી ભાવિ દુઃખને નોતરું આપે ! બાર વર્ષનો નચિકેતા પૂર્વની તત્ત્વરૂપ સંસ્કારની ચેષ્ટાયુક્ત હતો. પિતાએ યમદેવને દક્ષિણામાં આપ્યો ત્યારે નિશ્ચિતભાવે યમદેવ સાથે ગયો. યમદેવે ચક્રવર્તી અને ઇન્દ્ર જેવા વરદાનમાં આપેલા પદ તેને ડરામણાં લાગ્યા. તેણે કહ્યું જ્યાં મૃત્યુ હોય તેવાં ઇન્દ્રાદિ પદ મને નથી જોઈતાં, એ વાતને દૃઢપણે વળગી રહ્યો. અંતે અમરત્વની વિદ્યા પ્રાપ્ત કરી. જે જીવોમાં આત્માના અમરત્વની પ્રતીતિ નથી તે જીવો ભય અને સંતાપ વડે દુઃખ પામે છે. તેમનાં જીવનમાં અંધકાર વ્યાપી જાય છે. રાત્રિ પછી દિવસ-અજવાળું થવાનું, આપણે તાજા સાજા ઊઠવાના છીએ એની ખાતરી હોવાથી આપણને અંધકારનો ભય નથી લાગતો તેમ આ જીવનની સમાપ્તિ પછી ઉચ્ચજીવન મળવાનું છે એવી ખાતરી થાય તો ભય સંતાપ ટળી જાય. વળી મૃત્યુ જીવને સમયનાં એંધાણ આપતું નથી, તે ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે છે. જ્ઞાનીજનો તેને માટે સદાય તત્પર છે. તેઓ જાણે છે દેહનો ધર્મ નશ્વર છે, તે પડવાનો છે. આત્મા ત્યારે પણ પોતાના વિનશ્વરપણાથી જેવો છે તેવો જ રહેવાનો છે. મૃત્યુના ભય અને સંતાપથી મુક્ત થવા જીવ પાસે ધર્મ જેવું ૬૨ * હ્રદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy