SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ભીતર ઝળાંહળાં હૃદયપ્રદીપ ષત્રિશિકા... અંદરના અંધારાને ઉલેચીને હૃદયને ઝળાંહળાં બનાવનાર છત્રીશ કડીઓ... આ ગ્રંથની એક એક કડીમાં હૃદયને પ્રકાશિત કરવાનું સામર્થ્ય છે. ભાવક કડીઓને ગણગણતો જાય, એ વેધક શબ્દો હૃદયની આરપાર પહોંચી જાય. અજવાળું જ અજવાળું... પૂ. વીરવિજય મહારાજ સાહેબ કહે છે: “વેધકતા વેધક લહે, બીજા બેઠા વા ખાય.” ભાવક ચેતના આ કડીઓમાં, એના વિવેચનમાં ઝબોળાઈ ઊઠશે... જાણીતા સર્જક શ્રી હરીન્દ્ર દવેની એક પંક્તિ યાદ આવે : “ભીતર ઝળાંહળાં છે પ્રકાશનું શું થશે? ભીતર પ્રકાશ રેલાઈ ઊઠ્યો, હવે બહારના પ્રકાશનો શો અર્થ? હૃદયપ્રદીપ પત્રિશિકા પર “અસ્તિત્વનું પરોઢ પુસ્તકમાં ત્રણ વિદ્વર્ય આચાર્ય પ્રવરોએ વિવેચના આપી. પ્રસ્તુત ગ્રંથમાં એ જ ગ્રંથ પરની બહુજનહૃદયને સ્પર્શી જતી મઝાની સંવેદના છે. સુનંદાબહેનના અંતઃપૂત હૃદયમાંથી ઝરેલું આ શબ્દઝરણું અનેક ભાવકોના ચિત્તને નિર્મળ નિર્મળ બનાવશે એ જ ભાવના. કાર્તિક સુદિ ૧૫, વિ. ૨૦૬ ૧ - આચાર્ય યશોવિજયસૂરિ શણગાર હૉલ, દશા પોરવાડ સોસાયટી, અમદાવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy