SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથરચનામાં કોઈ વિધિવિધાનો ક્રિયા-કલાપ, સાધનાનું શિક્ષણ કે મતપંથનું વિવરણ નથી, પરંતુ તેનાથી વિશેષ કે જે આત્માના સામર્થ્યને સૂચવતું રહસ્ય અહીં ખૂલે છે. અને આ કાળમાં વિસ્તાર પામતાં દૈહિક કે ભૌતિક સુખોની ક્ષુદ્રતાનું ભાન કરાવે છે. આથી વિધિવિધાનો કે જે પરંપરાએ સિદ્ધિને સાધ્ય કરનારાં બને છે. ત્યારે આ ગ્રંથનાં રહસ્યો સિદ્ધિનું અનંતર કારણ બને ગ્રંથરચના સરળ અને રોચક છે. ગાગરમાં સાગર સમાણો હોય તેવી તેના શ્લોકની ગંભીરતા છે. અનુવાદની ભાવભરી ચિંતનકણિકા પ્રત્યેક શ્લોક અંતર્યાત્રાના કોઈ ને કોઈ ગંભીરપણે તેને સ્પર્શે છે. અંતર્યાત્રાના વિવિધ તબક્કે કામ લાગે એવાં સૂત્રો “હૃદયપ્રદીપ'માં વેરાયેલાં પડ્યાં છે. વિષમ કર્મોદય કાળે અને અંતર્યુદ્ધની કોઈ વસમી વેળાએ એ સૂત્રો ખપ પડે તેમ છે. દિલની દાબડીમાં સમાવી રાખેલો આ કપૂરી દીવો અંતરના આકાશમાં અંધારાં ઊતરી આવે તે ઘડીએ અજવાળું આપશે.” આ પુસ્તિકાના શ્લોકના આધારે થયેલાં પ્રવચનમાં અન્ય શાસ્ત્રના નિરૂપણનો આધાર પણ લેવાયો છે. તે સહેજે શાસ્ત્રાભ્યાસના સ્મરણરૂપ છે અને શ્રોતાજનોને સરળતાથી ગ્રહણ થાય, જીવનમાં આચરણમાં આવે તે આશયની મુખ્યતા છે. અમદાવાદમાં ઉપસ્થિત બંને આચાર્યશ્રીના શુભાશિષ મળ્યા છે તે માટે સાદર વંદન કરું છું. આ પુસ્તિકામાં જ્યાં જ્યાં અવતરણ ચિન્હ છે તે પૂ. આચાર્યશ્રીના અસ્તિત્વના પરોઢ' પુસ્તકમાંથી મુખ્યત્વે લીધેલા છે. આ પુસ્તિકાના સહયોગ માટે જિજ્ઞાસુ મિત્રોનું અભિવાદન કરું છું. આ પુસ્તિકા સૌ વાંચજો, વંચાવજો, અનુમોદન કરજો તેવી મંગળકામના સાથે. સુનંદાબહેન વોહોચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy