________________
મહાભારે કર્મોના તાંતણાથી જકડાઈ જાય છે, આવો જીવ પાંજરામાં પુરાયેલા પક્ષીની જેમ દુઃખે સમય પસાર કરે છે. કારણ કે તેને જીવનના સત્ત્વની કે તત્ત્વની જાણકારી નથી. સ્વ-પરના ભેદનો વિવેક નથી.
જૈનશાસનનું ધર્મનું મૂળ વિવેક – વિનય છે. ગુરુનિશ્રામાં તપ સંયમ વડે વિનય પ્રાપ્ત થાય છે. જે વડે મોક્ષનું દ્વાર ખૂલે છે અને મોહનો અંધકાર નષ્ટ થાય છે.
દુઃખ પાપના ક્ષય માટે છે. અન્યની વિષમતાઓ સમતા માટે છે. જન્મ પૂર્વકર્મનું ફળ છે. મૃત્યુ ત્યાગના બોધ માટે છે.
સંસારની કોઈ ગતિમાં સુખ નથી. નિશ્ચયથી તો સમ્યગ્ગદર્શન જેવા આત્મગુણોથી સંસારનું પરિભ્રમણ સમાપ્ત થાય છે. દયા દાનાદિ શુભરાગના ભાવો ભૂમિકા પ્રમાણે થાય પણ તેનાથી સંસાર છૂટે નહિ. સંયોગો સુખ-દુઃખનાં કારણ નથી, મિથ્યાત્વ સાથે શક્તિ, બુદ્ધિ, શુભરાગમાં ધર્મની માન્યતા તે ભવરોગનું કારણ છે એમ વિવેકીજનો વિચારે છે.
વ્યવહારમાર્ગ સ્કૂલ છે, નિશ્ચયમાર્ગ સૂક્ષ્મ છે, વ્યવહારમાર્ગ સ્થૂલ હોવાથી તેનો વિસ્તાર પણ ઘણો છે. તે કેટલા પ્રકારના કિયા કલાપો, જનસંપર્ક વગેરે.
પરમાર્થમાર્ગ સૂક્ષ્મ હોવાથી એકાંતનો છે. નિવૃત્તિસ્થાનમાં જાગૃતપણે રહેવું, વ્યવહારમાં આહાર, નિદ્રા, સંપર્ક બધું જ અલ્પ કરવું. તો જ સૂક્ષ્મમાં જવાય. સૂક્ષ્મતા આવતાં મન અંતર્મુખ થશે, ત્યારે આત્માનુભૂતિ પણ થશે.
હૃદયપ્રદીપનાં અજવાળાં ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org