________________
રાજા દશરથ અંતઃપુરના વૃદ્ધ સેવકને જોઈને બોધ પામ્યા કે આ શરીર આખરે આવું રાંક બની જવાનું છે. આજે તો વયમાં ચોર્યાશી ઉપર ગયો કે ગાઈ-બજાઈને ઊજવે. તે જાણતો નથી કે ચોર્યાશીના ફેરા વૃદ્ધિ પામે છે.
ઋષભકુમાર પત્ની સુનંદાના મૃત્યુથી અને નીલાંજના અપ્સરાના અવનથી અત્યંત ઉદાસીન થઈ ભરતકુમારને રાજ્ય સોંપી જંગલની વાટે નીકળી પડ્યા. આ જીવ તો અમરપટાના ખ્યાલે કેટલાંય મૃત્યુ જુએ છતાં નિરાંતે સૂઈ શકે છે.
વાસ્તવમાં તેને નથી તો જીવની નિત્યતાનું ભાન કે નથી તો શરીરાદિની અનિત્યતાનું ભાન. આત્મા સ્વયં આયુના બંધન વિનાનો છે. જેને વય, વૃદ્ધત્વ કે વેદના નથી. લાકડાને ઊધઈ લાગે અગ્નિને ઊધઈ ન લાગે, કાટ લોખંડને લાગે સોનાને ન લાગે, તેમ વય વગેરે દેહને લાગે છે કારણ તે અનિત્ય, નિરંતર પરિવર્તનશીલ છે. તે જન્મ ખરું એટલે મરે પણ ખરું. બાળક મટી યૌવન પામી અંતે વૃદ્ધ થઈને મરઘટે પહોંચી જાય.
ગુરુકૃપા વડે જેને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તે તો જાણે છે કે આત્મા આ સર્વ અવસ્થા વિહીન છે, શાશ્વત છે. નિત્યના અસ્તિત્વની જેને અનુભૂતિ છે તેનો દેહ ભલે વૃદ્ધ બને કે છૂટી જાય, તે તે જીવના જ્ઞાનમાં જણાતી દેહની જન્મ જરા રોગ મૃત્યુ વગેરે અવસ્થાઓ છે. કેન્દ્રમાં હું નિત્યપણે બેઠો છું. આ સર્વ આસપાસ બની રહ્યું છે ત્યારે પણ આત્માનું સ્વાતંત્ર્ય એવું ને એવું રહે છે.
જૈનદર્શન પામેલા જીવમાં એક સંસ્કારબીજ પડ્યું છે કે આત્મા મરતો નથી. જેમ આવ્યો હતો તેમ વિદાય થયો, કારણ કે જેની સંયોગોથી ઉત્પત્તિ છે તેનો વિયોગ પણ અવશય છે.
તત્ત્વજ્ઞાન વડે વિચારતા જીવને લાગે છે આ દેહ, ધન, માન, સર્વ અનિત્ય છે પણ તેને જાણવાવાળો હું નિત્ય છે. આ જન્મના
૪૦ હૃદયપ્રદીપનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org