SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ તેમના પ્રભુત્વમાં-સમીપમાં જ રહે છે. આમ શાની ગુરુના બોધ વડે પોતે જ સ્વાનુભૂતિ વડે વિશેષ વૈરાગ્ય પામે છે. સાકરને ખાનાર ગળપણનો અનુભવ કર્યા પછી. કોઈને પૂછવા જતો નથી કે સાકરનું ગળપણ કેવું હોય, તેમાં તેના અનુભવ વડે નિશ્ચય થયેલો છે. તેમ તત્ત્વબોધ વડે થયેલો અનુભવ જ જીવને નિયમથી સિદ્ધિ ગતિ સુધી પહોંચાડે છે. “સમરાદિત્ય કથાનો પ્રસંગ છે. એક સમ્રાટ આચાર્યના દર્શને જાય છે. તેમનો વૈભવ, યૌવન, અપૂર્વ કાંતિ, તેમને લાગે તેઓ ઉચ્ચ ઘાનામાંથી આવે છે. સમ્રાટે પૂછ્યું : ગુરુદેવ એવું કર્યું નિમિત્તે મળ્યું કે જેણે આપને વૈરાગી બનાવ્યા. આચાર્ય ભગવંતે કહ્યું : દુનિયામાં એવી કઈ ઘટના છે કે જે વૈરાગ્ય તરફ ન ખૂલતી હોય ? ભવ્ય મહેલનાં દર્શન વખતે એના ભવિષ્યના પર્યાયો (જર્જરિત થવાના) જોઈ શકો તો વૈરાગ્ય સિવાય બીજી કઈ ઘટના આકાર લઈ શકે ? વિરાગીની આંખોમાં તમને દેખાય ૫૨મ અનાકર્ષણ, પદાર્થો પ્રત્યે, વ્યક્તિઓ પ્રત્યે એક તીવ્ર બોધ અસારતાનો ઘૂંટાયા કરતો હોય. કપડાં પર ધૂળ ખંખેરીને કોઈ નીકળે તેમ મૃગાપુત્ર ખંખેરીને નીકળી ગયા. સમ્યગ્ વિરક્તિ. પર્યાયોને (બદલાતી અવસ્થા) છુટ્ટા પાડતાં ફાવી ગયું. તેણે દુ:ખોને કાયમ માટે વિલીન કરી નાખ્યાં. અશુદ્ધ પર્યાયો એ મારું રૂપ નથી. હું તો શુદ્ધ આત્મદ્રવ્ય. બંધ, ઉદય, ઉદીરણા, સત્તા વગેરે ભાવો તો કર્મોના છે, મારે શું ? તત્ત્વવેત્તા સદ્દગુરુ દૂધમાં પાણી નાખીએ પાણી પાણીરૂપે રહેતું નથી. સદ્ગુરુનો યોગ એટલે સ્વત્વને ખોઈ નાખવું. વારંવાર સદ્ગુરુનાં ચરણો સેવ્યા બાદ, દીર્ઘકાળ સાનિધ્યમાં રહ્યા બાદ પોતાની ભીતરમાં સૂઝવા માંડે કે ક્યારે શું કરવું યોગ્ય છે. ૧૪ * હ્રદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy