SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ કરી મુનિપણું અંગિકાર કરે છે. મુનિપણામાં આત્મસુખને પામે છે. સમ્યગૃષ્ટિવંત કથંચિત સંસારમાં રહેલો છે તેથી અલ્પપણે રાગદશા તો વર્તે છે, પરંતુ અંતરંગમાં આત્મલક્ષની પ્રતીતિ વર્તે છે. તેઓ જાણે છે કે ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે તેવા આ સંસારમાં રહેવા જેવું નથી. તેથી ઉદાસીનભાવે વર્તે છે. જ્ઞાની-મુનિ જનોને જે સુખ વર્તે છે તે આત્મભાવમાં સ્થિતિનું વર્તે છે. તેઓ આત્મલક્ષી રાગમુક્ત અને નિર્મળ બોધયુક્ત હોવાથી તેમને પરપદાર્થના સેવનમાં સુખબુદ્ધિ નથી. શુભાશુભ સંયોગોની પ્રાપ્તિ હોવા છતાં મુનિ તો આત્મધામમાં વસે છે. તે કોઈ પરિસ્થિતિ, વ્યક્તિ કે વસ્તુમાં વસતા નથી. તેમને પ્રસંગે હર્ષ-વિષાદ થતો નથી. કથંચિત જ્ઞાનના તારતમ્યપણાથી હર્ષવિષાદ થાય તોપણ તે તીવ્ર પરિણામે થતા નથી. કારણ કે જ્ઞાની-મુનિ નિર્મળ બોધયુક્ત હોવાથી જાગૃત છે. આત્મલક્ષી સાધક કે આત્મરામી મુનિ નિર્મળ બોધયુક્ત હોવાથી અર્થાત્ જ્ઞાન સ્વરૂપે સ્થિત હોવાથી જેમ દીવો જ્યાં હોય ત્યાં પ્રકાશપણે હોય તેમ તેમનું જ્ઞાન જ્યાં હોય ત્યાં જ્ઞાનપણે જાગૃત હોય. આમ જ્ઞાનની નિર્મળતાએ કરી જો જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં જ આત્મજોગ પામે. આત્મજોગે મુનિને જે સુખ છે તે ઇન્દ્ર રાજેન્દ્ર પણ પ્રાપ્ત કરી શકતા નથી. આથી ઈન્દ્ર કે રાજેન્દ્ર પણ જ્યારે આંતરિક સુખ ઇચ્છે છે ત્યારે તેઓ ત્યાગી વીતરાગી પરમાત્માના ચરણને સેવે છે. તે ઋષભાદિ વીતરાગી પરમાત્માને ચરણે મુગટધારી ઇન્દ્ર કે ભરત ચક્રવર્તી કેવું સુખ અનુભવતા કે જે સુખ તેમની ઇન્દ્રસભામાં કે ચક્રવર્તીના અંતઃપુર ન હતું. કારણ કે આ બધાં સુખ રાગયુક્ત અને પરાવલંબી છે. જ્યારે આત્મબોધે પ્રાપ્ત સુખ સ્વભાવાલંબી છે. ૧૫ર જ હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy