SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન ધ્યાન જેવી સાધનાઓથી કદાચ સાધકને લોકોત્તર એટલે ઉત્તમ પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય પરંતુ સાધક તેનાથી અલિપ્ત ન રહે તો તેના પ્રદર્શનમાં પડી તેનાથી આત્મત્વ પ્રાપ્ત કરવાને બદલે ભવની પરંપરારૂપ વિષ પ્રાપ્ત કરે છે. સાધકનું પરમ કર્તવ્ય એ છે કે તેણે આવી લૌકિક કે લોકોત્તર પ્રકારની બાહ્ય સિદ્ધિઓથી મુક્ત રહી નિજ આત્મસ્વરૂપ અમૃતને રુચિપૂર્વક જાણવું તેની જ શ્રદ્ધા કરવી. અમૃતની જ પ્રાપ્તિ માટે, વાસ્તવમાં સાચા સુખની પ્રાપ્તિ માટે સત્યપુરુષાર્થ કરવો. આ રીતે ક્ષણે ક્ષણે પરનો ભાવ ત્યજી સ્વ પ્રત્યે ઝૂકવું, હું જ્ઞાનાનંદસ્વરૂપી ત્રિકાળધ્રુવ આત્મા છું. મારે આવી બહારની પળોજણનું શું પ્રયોજન છે? લૌકિક કે લોકોત્તર સિદ્ધિઓની પાછળ અપેક્ષાઓ હશે તો તે “અપેક્ષાઓની પાછળ અશુદ્ધ “હું” છે.” નિરપેક્ષ દશાની પાછળ તમારું શુદ્ધ રૂપ છે. ચિત્ત પ્રસન્નતા શું છે? ઈચ્છાઓનાં વાદળ હટી ગયા પછીનું આત્મચંદ્રનું સ્વરૂપ પ્રકાશે, પણ માત્ર જો આ શબ્દાનુભૂતિ આપણી પાસે હશે તો હૃદયપ્રદીપકાર તેને સમ્મત કરશે ખરા? ચિત્તપ્રસન્નતા એ તમારું સ્વરૂપ. બરોબર શબ્દ વાપરીએ તો આનંદ. કારણ કે સ્વભાવદશામાં તમારું મૂળ સ્વરૂપ છે. ચિત્ત પ્રસન્નતા એ જ્યારે તમારા મૂળસ્વરૂપ ભણીની યાત્રા છે, ત્યારે મઝાની વાત એ થઈ કે સ્વરૂપ અથવા તે ભણી એ યાત્રામાં પ્રભુની પૂજા થઈ. હૃદયપ્રદીપનાં અજવાળાં જ ૧૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy