SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ નારદજીને વાલિયો લૂંટારો ભેટી ગયો. નારદજીએ પૂછ્યું આવા લૂંટફાટના ધંધા કોને માટે કરે છે ? એનાં પાપ તારે ભોગવવાં પડશે. વાલિયો: મારા કુટુંબના નિર્વાહ અને સુખ માટે. તેઓ મારાં સુખદુ:ખનાં સાથી છે. નારદઃ તું જઈને પૂછી આવ. વાલિયો નારદજી ભાગી ન જાય તેટલા માટે ઝાડ સાથે બાંધીને પોતાની ઝૂંપડીએ પરિવારને પૂછવા ગયો. વડીલો સમજદાર હશે. તેઓ કહે જે પાપ કરે તે પોતે જ તેનાં ફળ ભોગવે. વાલિયો સમજી ગયો કે કરેલાં કર્મ માટે જ ભોગવવા પડશે. આ કોઈ સાથે નહિ આવે. તે પાછો ફર્યો. તેણે નારદજીને છૂટા કરી પ્રણામ કર્યા. હાથ જોડીને ઊભો રહ્યો. નારદજીએ તેને તપનો માર્ગ બતાવ્યો, કરેલાં પાપો નષ્ટ કરવા વાલિયો તપમાં બેસી ગયો. વર્ષો વીત્યાં. આખરે તેણે વાલ્મીકિ ઋષિ તરીકે જીવન મેળવ્યું. અર્થાતુ જે દૂર કર્મો કરે છે તે પોતે જ નરકે પણ એકલો જ જાય છે. ત્યાંનાં દારુણ દુઃખો એકલો જ ભોગવે છે. સ્વર્ગમાં કે નરકમાં ક્યાંય કોઈનો સંગ નથી મળતો. પણ જે જીવ પુણ્ય-પાપ બંનેને ત્યજી શુદ્ધ ધર્મમાં પ્રવેશ કરે છે તે સ્વયં મોક્ષે પણ એકલો જ જાય છે. જન્મ એકલો, મરે એકલો, તો પછી વચ્ચેના ગાળામાં આટલી લાંબી મજલ જીવ શું કામ કરતો હશે? જ્ઞાની જે થાય છે તે જાણે છે. તેના પ્રતિકાર કે વિરોધમાં જવાનો વિકલ્પ કરતા નથી. જીવમાં જાગૃતિનો આત્મવિકાસનો મહાન અવસર આવે ત્યારે બાહ્ય પ્રલોભનોની ક્ષુદ્રતામાં જઈ વિકાસમાં અવરોધ ઊભો ના કરીશ. એ તારી પ્રગતિને બાધક છે. પૂર્વકૃત પ્રકૃતિનો ઉદય આવે વિરોધ શો? તેમાં તારી શક્તિનું બળ ઘટે છે. બીજા સંગે સુખ નવ કદી... અન્યનું કામ કૈ ના. કદાચ શરીરની વેદના હરવાનું ઔષધ હશે. બાહ્ય બંધનોની વેદના તોડવાનાં શસ્ત્રો હશે. પરંતુ ઊંડી ઊંડી થતી આત્મવેદનાને દૂર ૧૨૪ હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001989
Book TitleHridaypradipna Ajwala
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2005
Total Pages170
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy