SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ હેમસમીક્ષા - પ્રથમ તે સેમચંદ્ર પિતાના ગુરુ પાસે અભ્યાસ કર્યો હતો. મેટે ભાગે સ્તંભતીર્થ–ખંભાતમાં જ તેમનો અધ્યયનકાલ ગયેલ. હોવો જોઈએ. સેમચંદ્રમુનિએ પોતાના ચંદ્રસમાન ઉજજવળ પ્રજ્ઞાબળથી સવર તકશાસ્ત્ર, વ્યાકરણ અને સાહિત્યવિદાનો અભ્યાસ કરી દીધો હતો. તે સમયે કાશ્મીર સંસ્કૃત વિદ્યાનું કેન્દ્રસ્થાન ગણતું હતું. તેજસ્વી પ્રતિભાવાળા સેમચંકે કાશ્મીર જઈ સરસ્વતીની આરાધના કરવા અને અધ્યયનમાં સંપૂર્ણ સિદ્ધિ મેળવવા નિશ્ચય કર્યો. પરંતુ ઉદયનમંત્રીએ અને દેવચંદે તેમને માટે કાશ્મીરના ગ્રંથો અને કાશ્મીરી પંડિતેની ગોઠવણ કરી હોય એ સંભવિત છે. ૨ઉત્સાહ, કક્કલ, બિલ્હણ વગેરે ગૂજરાતના આશ્રિત બન્યા હતા. મમ્મટ, અભિનવગુપ્ત વગેરે આચાર્યોની અસર ગૂજરાતના કાવ્યશાસ્ત્રના અભ્યાસ ઉપર પડી હતી. એટલે જ, કાશ્મીરી પંડિતની યોજના ઉદયનની સમૃદ્ધિથી થઈ શકી હશે, અને જેમ બિલ્વણુ મહામાત્ય સંપન્કરને આશ્રિત થઈ રહ્યો હતો, તે પ્રમાણે ઉદયન મંત્રીએ કેટલાક કાશ્મીરી પંડિતને સેમચંદ્રના ૨૬. પ્ર. ચ. હેમચંદ્રસૂરિપ્રબન્ધ પાન ૨૯૮ . ૩૭: सोमचन्द्रस्ततश्चन्द्रोज्जवलप्रज्ञाबलादसौ तर्कलक्षणसाहित्यविद्याः पर्यच्छिनद्रुतम् ॥ ૨૭. પ્ર. ચ. હેમચંદ્રસૂરિપ્રબન્ધ પાન ૨૯૮, ૨૯. . ૩૮૪૫ માં શ્રી હેમચંદ્રાચાર્યું કાશમીરવાસિની દેવી-સરસ્વતીનું આરાધન કરવાની ઇચ્છા કરે છે. પરંતુ સરસ્વતી સાક્ષાત્ દયાનમાં આવી કહે છે કે, “તમે પરદેશ-કાશ્મીર જશે નહિ, અને હું તુષ્ટ થઈ છું.” આમાં મને તે કાશમીરની શાસ્ત્રવિદ્યા માટે સ્તંભતીર્થમાં જ પ્રબન્ધ થયે હેય અને હેમાચાર્યને આથી કાશમીર જવું ન પડયું હેય—એ જ ફલિતાર્થ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy