SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે “પરમમાત્રામાં વીશ વલાના પરિવેસ્ટન દ્વારા તીર્થ (એટલે તે ધ્યાન દ્વારા થિ સાથે અભેદભાવને પામેલા) સ્વ-આમાનું ધ્યાન હેય છે, = તીર્થના મુખ્ય ત્રણ અર્થો છે. એક અર્થ છે. ‘દ્વાદશાંગી, બીજો અર્થ છે “ચતુર્વિધ સંઘ', અને ત્રીજો અર્થ છે પ્રથમ ગણધર. આ ત્રણ પ્રકારના તીર્થની ઉત્પત્તિ શ્રી તીર્થ કર–પરમાત્માની ધર્મદેશનાની જ ફલશ્રુતિ છે. પરમમાત્રામાં નિર્દિષ્ટ વીશે વલમાં મુખ્યતયા શ્રુતજ્ઞાન, દ્વાદશાંગી, ચતુર્વિધ સંઘ, ગણધરભગવંતે, તીર્થંકરભગવંતે, તેમના માતા, પિતા, તથા તીર્થંરક્ષક- અધિ. લડાયક-યક્ષ-યક્ષિણી, તીર્થંકર પરમાત્માના પંચકલ્યાણક આદિ પ્રસંગે અપૂર્વ ભક્તિ કરનારા ભક્તાત્મા ૬૪ ઈન્દ્રો, ૫૬ દિકુમારી, તથા સ્થાવર, જંગમ તીર્થો વિગેરેને ન્યાસ (સ્થાપના) ચિન્તન અને ધ્યાન કરવાનું વિધાન છે અને તે બધા જ તીર્થના જિનશાસનના જ વિવિધ અંગે છે, અંગ સ્વરૂપ છે. દયાનની આ પ્રક્રિયાઓ જેટલી મહત્વભરી અને ઉપયોગી છે, તેટલી જ એ ઉડી અને ગહન પણ છે ગીતાર્થ અનુભવજ્ઞાની મહાપુરુષે જ એના વાસ્તવિક રહસ્ય ઉકેલી શકે છે છતાં એ મહાપુરુષોના અનુગ્રહના પ્રભાવે જ સ્વ ક્ષયે પશમ મુજબ તેને સમજવા સમજાવવાને આ સ્વ૯૫ પ્રયાસ માત્ર કરીએ છીએ. અક્ષર ન્યાસની મહત્તા : પ્રત્યેક ધ્યાન પ્રક્રિયામાં પ્રયાસ “અક્ષરન્યાસ'ની સર્વ પ્રથમ અગત્યતામાની છે તે હેતુસર પ્રસ્તુતમાં પણ પ્રથમના પાંચ વલમાં “અક્ષરન્યાસનું જ વિધાન કરવામાં આવ્યું છે. (૧) પ્રથમ “શુભાક્ષર વલય”માં આજ્ઞાવિચય આદિ ચાર પ્રકારના ધર્મધ્યાનનાં અને પ્રથમ શુકલ ધ્યાનના વાચક તેત્રીશ અક્ષરોને ન્યાસ કરવાનું કહ્યું છે, તેના દ્વારા દ્વાદશાંગી (શ્રુતજ્ઞાન) રૂપ તીર્થનું સ્મરણ થાય છે. દ્વાદશાંગી એ પ્રભુની આજ્ઞા છે, અને તેને સાર ધ્યાન છે. આજ્ઞાવિચય આદિ અક્ષરોને ન્યાસ દ્વારા તેનું સ્મરણ-ચિન્તન કરવાથી આપણા ઉપર તેના દ્વારા થયેલા અનહદ ઉપકારો પ્રતિ કૃતજ્ઞભાવ વ્યક્ત થાય છે. આજ્ઞાવિચય' આદિ તેત્રીશ અક્ષરો એ શુભધ્યાનના વાચક અને તીર્થંકરપ્રભુની આજ્ઞા સ્વરૂ૫ હેવાથી ભરૂપ છે, તેથી તેને “શુભાક્ષર' કહેવામાં આવે છે. (૨) શુભાક્ષર વલય પછી અનફ્ફરશ્રતવાચક “તિ નિહિ” વિગેરે પાંત્રીશ અક્ષરને ન્યાસ કરવાનું વિધાન છે એ ધ્યાન સાધનાના માર્ગમાં અક્ષર કરતાં “અક્ષરની અધિક મહત્તાને સૂચવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy