SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ જેમ કાર્યોત્સર્ગને વધુ અભ્યાસ થાય છે, તેમ તેમ યેચમાં આંતર અને બાહ્યદષ્ટિની નિશ્ચલતા-અનિમેષતા વધતી જાય છે. અને બારમી પ્રતિમામાં તે...એક રાત્રી એટલે કે સતત બાર કલાક સુધી માત્ર એક શુષ્ક પુદ્ગલ ઉપર અનિમેષ દૃષ્ટિએ કાર્યોત્સર્ગ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. આ રીતે “તારા અને પરમતારા દયાન એ કાયેત્સર્ગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી નિશ્ચલતા અને અનિમેષ દૃષ્ટિનું તારતમ્ય બતાવે છે. કાયોત્સર્ગ સૂત્ર (ચત્યસ્તવ) માં કાર્યોત્સર્ગનું સ્વરૂપ, નિમિત્તો અને હેતુઓ વિગેરેનો ઉલ્લેખ થયેલ છે. તેમાં ઉત્તરોત્તર વધતી જતી શ્રદ્ધા, મઘા, વૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા પૂર્વક કાર્યોત્સર્ગ કરવાનું વિધાન છે. શ્રદ્ધાદિ પાંચેની વૃદ્ધિથી કાર્યોત્સર્ગમાં નિશ્ચલદષ્ટિ અને અનિમેષષ્ટિ વિકાસ પામે છે. બાહ્યદષ્ટિની નિશ્ચલતા-અનિમેષતા એ આંતરદષ્ટિની નિશ્ચલતાની દ્યોતક છે. (૧૫-૧૭) લય અને પરમલય लय :- वत्रलेपादि द्रव्येण संश्लेषो द्रव्यतः । भावतोऽहं दादि चतुः शरणरुपश्वेतसो निवेशः ।।१५।। परमलयः- आत्मन्येवात्मान' लीनं पश्यतीत्येवरुपः ।।१६।। અર્થ - લય :-વજપ આદિ દ્રવ્યથી વસ્તુઓને જે પરસ્પર ગાઢ સંગ તે દ્રવ્યથી વય” છે અને અરિહંત, સિદ્ધ, સાધુ તથા કેવલી પ્રરૂપિત ધર્મ આ ચારનું શરણ અંગીકાર કરવા રૂપ જે ચિત્તને નિવેશ તે “ભાવથી થાય છે. પરમલય –આત્મામાં જ આત્માને લીન થયેલ છે તે “પરમલય” છે, વિવેચન –કાયોત્સર્ગમાં સ્થિત સાધકની બાહ્યદષ્ટિની નિશ્ચલતા અને અનિમેષતાનું તારતમ્ય “તારા અને પરમતારા ધ્યાન દ્વારા બતાવવામાં આવ્યું છે. પરંતુ...તે વખતે એટલે કે બાહ્યદષ્ટિની નિશ્ચલતા સમયે સાધકની ચિત્તવૃત્તિરૂપ આંતરદષ્ટિ અન્તર્લક્ષ્ય અરિહંતાદિ કયા ધ્યેયના ચિંતનમાં લીન હોય છે ? તે અન્વયનું સ્વરૂપ પ્રતુતમાં “લય અને પરમલય” ધ્યાન દ્વારા બતાવે છે. લયમાં મુખ્યતયા ધ્યેયરૂપે “અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વપ્રણીત ધર્મની સંપૂર્ણ શરણાગતિને ભાવ હોય છે. અર્થાત્ ચિત્તવૃત્તિ અરિહંતાદિના નામસ્મરણ કે ગુણચિંતનમાં લીન હોય છે. - ચતુઃ શરણ ગમનમાં પાંચ પરમેષ્ઠીઓ અને નવપદની ઉપાસના (ભક્તિ) ને અન્તર્ભાવ થયેલો છે. પ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy