SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) કલો द्रव्यतो मल्लादिभिर्नाडी चम्पनेन या चटाय्यते, भावतस्तु अत्यन्ता भ्यासतः स्वयमेव देशकाल करणाद्यनपेक्ष्य या सभारोहति, अन्येन त्ववतार्यते; यथा पुष्पभूतेराचार्यस्य पुष्प (व्य) मित्रेण कला जागरणं कृतम् ॥ ५ ॥ અર્થ – “કલા” ના બે પ્રકાર છે. “વ્યકલા” અને ભાવકલા મલ વિગેરે લોકો નાડી દબાવીને (ઉતરી ગયેલા અંગને) ચડાવે છે તે દ્રવ્યકલા છે પરંતુ અત્યંત અભ્યાસના કારણે દેશ, કાલ તથા કરણ આદિની અપેક્ષા વિના પિતાની મેળે જ ચડે છે. પરંતુ બીજાવડે ઉતારાય તે “ભાવકલા” છે. જેમકે આચાર્ય પુષ્પ ભૂતિની કલાને (સમાધિને) મુનિ પુષ્પ મિત્રે જાગૃત કરી હતી-ઉતારી હતી [ આ કથા માટે પાછળ પરિશિષ્ટ જુઓ ] ભાવાર્થ :- દ્રવ્ય કલાનું સ્વરૂપ–વર્ણન ભાવકલાના સ્વરૂપને સ્પષ્ટતાથી સમજવામાં ઉપયોગી બને છે. બાહ્ય પ્રયત્ન વિશેષથી નાડી દબાવવા વિગેરેથી મહલ-પહેલવાન કે હાડવૈદ્ય વિગેરે ઉતરી ગયેલા અંગો-પાગને ફરી વ્યવસ્થિત કરી દે છે. આવી બધી કલાએ દ્રવ્યકલા કહેવાય છે. એમ ભાવકલા તેને કહેવાય છે કે કુંડલિનીનું ઉદર્વગમન થવાથી જે સ્વયં અન્ય-પુરૂષની અપેક્ષા-સહાય વિના “સમાધિ” પ્રાપ્ત થાય છે. થાનના સતત અભ્યાસથી કુંડલિની-પ્રાણ શક્તિ ઉર્વગામી બને છે. તેમાં કોઈ દેશ, કાલ કે કરણ–આસનાદિ સાધન વિશેષની અપેક્ષા નિણત હોતી નથી. તે સ્વયં સહજરીતે સંકુરિત થાય છે. અને તેના દ્વારા અપૂર્વ “સમાધિને અનુભવ થાય છે. આ અવસ્થામાં લાંબા કાળ સુધી સ્થિર રહી શકાય છે. પરંતુ ઉર્ધ્વગામી બનેલી શક્તિનું પુનઃ અવતરણ કરવામાં અન્ય પુરૂષની અપેક્ષા રહે છે. પુષ્પભૂતિ આચાર્ય મહારાજની ઉદર્વગામી બનેલી કલા-કુંડલિનીનું પુનઃ અવતરણ શ્રી પુષ્પ મિત્ર મુનિએ તેમના અંગુઠાના સ્પર્શથી કર્યું હતું એ વાત + શાસ્ત્રોમાં નેધાયેલી છે. આવશ્યક નિર્યુક્તિ શ્રી હરિભદ્રીય વૃત્તિ પૂ. ૦રર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy