SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ જૈન આગમ “શ્રી સૂત્રકૃતાંગ'માં ઋષભદેવ ભગવાને તેમના પુત્ર ભરતને અષ્ટાપદ પર દેશના (ઉપદેશ) આપ્યાનો ઉલ્લેખ મળે ઉત્તરપુરાણ' નામના ગ્રંથમાં એવું વર્ણન મળે છે કે ચક્રવર્તી ભરતે અતીત, વર્તમાન અને અનાગત એમ ત્રણેય ચોવીસીની એટલે કે બોંતેર તીર્થકરોની મૂર્તિઓ ધરાવતા સુવર્ણમંદિરની રચના કરાવી હતી અને આચાર્યશ્રી ધનેશ્વરસૂરિકૃત “શત્રુંજય માહાભ્ય' ગ્રંથમાં રાજા ભરતે ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ નજીક વાદ્ધકીરત્ન દ્વારા રત્નમય સિહનિષદ્યા પ્રાસાદની રચના કરાવી હતી. અષ્ટાપદ પરની એ ચોવીસીના પ્રતિષ્ઠાતા શ્રી ચારણમુનિ હતા. વિવિધ તીર્થકલ્પ' નામના ગ્રંથનાં “અષ્ટાપદગિરિ કલ્પમાં તથા આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીના “શ્રી અષ્ટાપદમહાતીર્થ કલ્પ'માં ભગવાન ઋષભદેવના નિર્વાણની ઘટનાના આલેખનમાં અષ્ટાપદ ગિરિ વિશેનાં વર્ણનોમાં દેવતાઓએ અહીં ત્રણ સ્તૂપ (દરીઓ, કર્યા એવી નોંધ છે. જ્યારે ભરતરાજાએ શ્રી ઋષભદેવનાં સંસ્કાર-સમર્પણની ભૂમિ પર ત્રણ ગાઉ ઊંચો અને જાણે મોક્ષમંદિરની વેદિકા હોય તેવો સિંહનિષદ્યા નામે પ્રાસાદ રત્નમય પાષાણથી વાર્તકીરત્ન શિલ્પી પાસે કરાવ્યો, તેવી ગાથા સાંપડે છે. આમાં જ ઉલ્લેખ મળે છે કે – “ચૈત્યની ભીંતોમા વિચિત્ર મણિમય ગવાક્ષ (ગોખલા) રચ્યા હતા.' વળી અહીં એક ઉલ્લેખ એવો છે કે, “ચત્યના નિતંબભાગ ઉપર વિચિત્ર ચેષ્ટાથી મનોહર લાગતી માણેકની પૂતળીઓ ગોઠવેલી હતી, 15. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001979
Book TitleAshtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Pilgrimage
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy