SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા. આજે પણ ભાવિકો પ્રાતઃકાળે ઊઠીને ભગવાન આદિનાથનું સ્મરણ કરે છે. ભગવાન ઋષભદેવના નિર્વાણ કલ્યાણકની પાવન ભૂમિ સમો. અષ્ટાપદ પર્વત વર્તમાન સમયમાં મળતો નથી. ધર્મગ્રંથોમાં એનાં અનેક પ્રમાણો મળે છે. આથી આજે એ મહાપવિત્ર અષ્ટાપદ તીર્થને શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભરત ચક્રવર્તી : ભગવાન શ્રી ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી એ પ્રથમ ચક્રવર્તી રાજા બન્યા. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ ભગવાન શ્રી ઋષભદેવ સમવસરણમાં બિરાજીને દેશના આપતા હતા, ત્યારે ભરત મહારાજા દર્શનાર્થે આવ્યા. એ સમયે કુતૂહલવશ ચક્રવર્તી ભરતદેવે પૂછયું, “આ સમવસરણમાં દેશના સાંભળી રહેલા લોકોમાંથી ભવિષ્યમાં કોઈ તીર્થકર થશે ખરાં ?” ત્યારે ભગવાન શ્રી ઋષભદેવે પ્રત્યુત્તર આપ્યો કે, તમારો (ભરત ચક્રવર્તીનો) પુત્ર મરીચિ કેટલાય ભવો બાદ ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામી બનશે. આ પછી ભગવાને વર્તમાન ચોવીસીની સમજ આપી. આ રીતે ચક્રવર્તી ભરત રાજાને વર્તમાન ચોવીસીની માહિતી જાણવા મળી હતી. 14 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001979
Book TitleAshtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Pilgrimage
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy