SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ એમનાં લગ્ન થયાં. અંતિમકુલકર નાભિએ પ્રજાની વિનંતીને માન આપીને ઋષભદેવને રાજા બનાવ્યા અને આમ તેઓ પૃથ્વીના પ્રથમ રાજા બન્યા. અનેક વર્ષો સુધી રાજા ઋષભે રાજ્ય કર્યું. એ સમયે એમણે એકલવાયુ જીવન ગાળતી માનવજાતિને પરિવારની વ્યવસ્થા શીખવી, સમાજ સ્થાપ્યો, સમાજને કલાઓ શીખવી, પૃથ્વીને ભોગભૂમિને બદલે કર્મભૂમિ બનાવી. લોકજીવન સુવ્યવસ્થિત કરીને ધર્મજીવન આપ્યું. ત્યાગને જીવનશુદ્ધિનું, તપને જીવનક્રિયાનું અને મોક્ષને માનવીનું અંતિમ લક્ષ્ય હોવાનો ઉપદેશ આપ્યો. ઉત્તરાવસ્થામાં રાજા ઋષભદેવે પુત્ર ભરતને રાજશાસન સોંપીને ચૈત્ર કૃષ્ણાષ્ટમીના દિવસે દીક્ષા ગ્રહણ કરી. દીર્ઘ સાધનાને અંતે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને એ જ દિવસે તેમણે લોકોને અહિંસા, સત્ય આદિ મહાવ્રતોનો ઉપદેશ આપ્યો. આદિ તીર્થકર ભગવાન ઋષભદેવ પ્રથમ રાજા, પ્રથમ સાધુ - ભિક્ષાચાર, પ્રથમ જિન અને પ્રથમ તીર્થકર છે. ભગવાન ઋષભદેવે લોકોને સંદેશ આપ્યો : “કોઈ જીવને મારવો નહીં, બધાની સાથે હેતથી રહેવું, અસત્ય બોલવું નહીં, ચોરી કરવી નહીં, શીલપાલન કરવું અને સંતોષથી રહેવું.” ભગવાન ઋષભદેવે દર્શાવેલો આ ધર્મ સહુ પાળવા લાગ્યા. એમણે સંઘની સ્થાપના કરી. એમના ઉપદેશથી એમના સંઘમાં ચોર્યાસી હજાર સાધુઓ અને ત્રણ લાખ સાધ્વીઓ બન્યાં. ત્રણ લાખ અને પચાસ હજાર શ્રાવક અને પાંચ લાખ અને ચોપન હજાર શ્રાવિકાઓ થયાં. આ સંઘને તીર્થ પણ કહેવાય છે, તેથી ઋષભદેવ-આદિનાથ - પહેલા તીર્થ કરનારા એટલે તીર્થકર થયા. ઘણાં વર્ષો સુધી તેઓ પૃથ્વી પટ પર વિચર્યા. એમના ત્રિકાળ પ્રકાશિત જ્ઞાનથી લોકોને ધર્મમાર્ગ બતાવ્યો. ભગવાન ઋષભદેવ 13 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001979
Book TitleAshtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Pilgrimage
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy