SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ સ “શ્રી આદિનાથ ભગવાન અષ્ટાપદ પર નિર્વાણ પામ્યા, મહાવીરસ્વામી ભગવાન પાવાપુરીમાં, વાસુપૂજ્ય સ્વામી ભગવાન ચંપાપુરીમાં અને નેમિનાથ ભગવાન ગિરનારમાં નિર્વાણ પામી મોક્ષે ગયા. બાકીના વીસ તીર્થકરો સમેતશિખરમાં નિર્વાણ પામ્યા. સકલ સંઘને આંતરિક સુખ આપનાર આ ચોવીસ તીર્થકરોને હું પૂજ્યભાવે વંદન કરું છું.” અષ્ટાપદ : જૈન ધર્મગ્રંથો પ્રમાણે પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા. શ્રી અષ્ટાપદ તીર્થ એ મહત્ત્વનું તીર્થ છે અને એ હિમાલયના શાંત અને રમણીય પ્રદેશમાં આવેલું છે. ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ પર એમના પુત્ર ચક્રવર્તી ભરતદેવે રત્નજડિત સિંહનિષદ્યાપ્રાસાદનું નિર્માણ કર્યું હતું. આ પ્રાસાદ પ્રતિ લઈ જતાં આઠ પગથિયાં પરથી આ પર્વત માટે “અષ્ટાપદ' શબ્દ પ્રચલિત બન્યો. પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ ઃ - ભગવાન ઋષભદેવ માનવસંસ્કૃતિના આદિ નિર્માતા છે અને એમણે જ સૌ પ્રથમ પરિવારપ્રથા, સમાજવ્યવસ્થા, શાસનપદ્ધતિ અને રાજનીતિની સ્થાપના કરી. ભારતવર્ષમાં ઇક્વાકુભૂમિમાં, કૌશલદેશમાં આવેલી અયોધ્યા નગરીમાં અંતિમ કુલકર નાભિના પુત્ર રૂપે ઋષભદેવનો જન્મ થયો. દરેક તીર્થકરોની માતાઓ જે મહાસ્વપ્રો જુએ છે તેવાં ૧૪ વિશિષ્ટ સ્વપ્રોનાં એમનાં માતા મરુદેવીને દર્શન થયાં. સ્વપ્રમાં પ્રથમ વૃષભ જોયો હતો, તેથી ચૈત્ર કૃષ્ણ અષ્ટમીના દિવસે જન્મેલા આ શિશુનું નામ ઋષભ રાખવામાં આવ્યું. તત્કાલીન રિવાજ અનુસાર સુનંદા અને સુમંગલા સાથે 12 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001979
Book TitleAshtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Pilgrimage
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy