SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ આવે છે, પછી ગિરનાર અને ત્યારબાદ સહુથી છેલ્લો આવતો પણ સકલ તીર્થમાં વડુ તીર્થ ગણાતો શત્રુંજય છે. પાંચ કલ્યાણકઃ જૈન ધર્મગ્રંથોમાં તીર્થંકરના જીવનકાળમાં બનતી પાંચ અત્યંત મહત્ત્વની અને પવિત્ર ગણાતી ઘટનાઓને “પંચકલ્યાણક” તરીકે ઓળખવામાં આવે છે. તીર્થંકરનો માતાના ગર્ભમાં પ્રવેશ અને એમની માતાને આવતાં ૧૪ સ્વપ્નો તે પ્રથમ ઘટના ગણાય છે, જે ચ્યવન કલ્યાણક કહેવાય છે. બીજો પ્રસંગ તે તીર્થકરના જન્મનો ભવ્ય રીતે ઊજવાતો જન્માભિષેક-જન્મકલ્યાણક-નો છે. તમામ ભૌતિક સુખ-સમૃદ્ધિ ત્યજીને વિકટ તપસ્વી જીવનનો સ્વીકાર તે ત્રીજો પ્રસંગ દીક્ષા-કલ્યાણક છે. ચોથો પ્રસંગ તે ઘણી તપશ્ચર્યા અને ધ્યાન-સાધના પછી તીર્થકરને પ્રાપ્ત થતું કેવળજ્ઞાનકલ્યાણક છે. એમના જીવનનો પાંચમો અને છેલ્લો પ્રસંગ તે એમનો આત્મા કર્મમાંથી પૂર્ણ રીતે મુક્ત થઈ સિદ્ધપદને પામે છે તે નિર્વાણ કલ્યાણકનો છે. આ નિર્વાણભૂમિ પર તીર્થકર ભગવાનના જીવનની ધ્યેયપ્રાપ્તિ થાય છે અને તેઓ ભવભ્રમણના ફેરામાંથી સદાકાળ મુક્તિ પામે છે. આ સ્થાન અતિપવિત્ર અને મહિમાવંતું ગણાય છે. ૨૪ તીર્થકરો નીચેના શ્લોકમાં દર્શાવ્યા પ્રમાણે પાંચ સ્થળોએ નિર્વાણ પામ્યા છે – અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વરું વાસુપૂજ્ય ચંપાનયર સિદ્ધયાં, નેરૈવત ગિરિવરુ; સમેત શિખરે વીસ જિનવર, મુક્તિ પહુંચ્યા મુનિવરું ચકવીસ જિનવર નિત્ય વંદું, સયલ સંઘ સહકરું. 11 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001979
Book TitleAshtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Pilgrimage
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy