SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ તેથી અપ્સરાઓથી અધિષ્ઠિત મેરૂ પર્વતની જેવું તે શોભતું હતું.' એ પછી એક વિસ્તૃત, અતિ મહત્ત્વનો ઉલ્લેખ આ પ્રમાણે છે – “ત્યાં (અષ્ટાપદ) આવનારા પુરૂષો ગમનાગમન વડે એની આશાતના ન કરે એવું ધારીને લોઢાના યંત્રમય આરક્ષક પુરૂષો તે ઠેકાણે ઊભા રાખ્યા. એ યંત્રમય લોઢાના પુરૂષોથી જાણે મર્યલોકની બહાર તે સ્થાન રહ્યું હોય એમ મનુષ્યોને અગમ્ય થઈ પડ્યું. પછી ચક્રવર્તીએ દંડરત્ન વડે તે પર્વતના દાંતા પાડી નાખ્યા, તેથી સીધા-સપાટ અને ઊંચા સ્તંભની પેઠે એ પર્વત લોકોને ન ચડી શકાય તેવો થઈ ગયો. પછી મહારાજાએ એ પર્વતની ફરતા મેખલા જેવા અને મનુષ્યોથી ઉલ્લંધન થઈ શકે નહીં એવા એક એક યોજનને અંતરે આઠ પગથિયાં બનાવ્યાં, ત્યારથી એ પર્વતનું નામ અષ્ટાપદ પડ્યું અને લોકોમાં તે “હરાદ્રિ', “રજતાદ્રિ', કૈલાસ” અને “સ્ફટિકાચલ” એવાં નામથી પણ ઓળખાવા લાગ્યો.” જૈન ગ્રંથોમાં અષ્ટાપદ તીર્થ : ૧. અષ્ટાપદ તીર્થનો સર્વપ્રથમ ઉલ્લેખ “આચારાંગ નિર્યુક્તિના ૩૩૨મા શ્લોકમાં મળે છે. ૨. અત્યંત પ્રાચીન જૈન ગ્રંથ (એકાદશ અંગાદિ આગમ)માં અષ્ટાપદનો મહાતીર્થ રૂપે ઉલ્લેખ મળે છે. ૩. જૈન આગમ “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ની નિર્યુક્તિ અનુસાર કોઈ પણ ચરમ-શરીરી (આ જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરનારા જીવ) અષ્ટાપદ તીર્થની યાત્રા કરશે, તો તે મોક્ષ પ્રાપ્ત કરશે. (અધ્યાય 16 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001979
Book TitleAshtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Pilgrimage
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy