SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ 0 આચાર સમ્યગ્ બને છે. સર્તનવાળો ચિત્તની સ્થિરતા પામે છે એટલે તે ધ્યાનદશા પ્રાપ્ત કરે છે. • કેવળ એક આસને સ્થિર બેસવું તે ધ્યાન નથી. ધ્યાનના અસંખ્ય પ્રકાર છે. યદ્યપિ ધ્યાન પહેલાંની સર્તન આદિ ભૂમિકા વગર ધ્યાનદશા થવી શક્ય નથી. કોઈ પણ એક અંગ વડે શરીર મનાતું નથી, પૂરાં અંગો વડે શરીર મનાય છે. તેમ શ્રદ્ધા, જ્ઞાનાદિ વડે ધર્મમાર્ગ પૂર્ણ મનાય છે. ધ્યાનમાર્ગમાં અન્ય અનુષ્ઠાનો પૂરક હોય છે. ૦ શ્રદ્ધેયની શ્રદ્ધા તે દર્શન છે ૦ પ્રથમ શ્રદ્ધેય વીતરાગ છે. વીતરાગ એટલે જેણે રાગાદિ દોષો ઉપર સંપૂર્ણ વિજય મેળવ્યો છે. જગતત્રયના જીવો પ૨ જેની પવિત્રતાનો પ્રભાવ છે. ઇન્દ્રિયોનાં સુખોના રાગનો ત્યાગ કરવો સર્વત્ર કઠણ મનાય છે, તેના પર પણ જેનો વિજયડંકો વાગે છે, તે વીતરાગ છે. જેમના મનમાંથી રાગ ગયો છે, તનમાંથી રોગ ગયો છે. ઇન્દ્રિયોમાંથી ભોગ ગયો છે, તેવા વીતરાગની ભક્તિ વેધક રસ છે. વેધક રસમાં જેમ ત્રાંબાને સુવર્ણ બનાવવાની શક્તિ છે, તેમ રાગાદિના સંપૂર્ણ વિજેતા અનંત ગુણોના ધારક વીતરાગની ભક્તિનો વેધક રસ જીવને પામરમાંથી પરમ બનાવે છે, રાગી મટી વીતરાગી બને છે. “રાગી પોતાના રાગપાત્રના દોષને જોતો નથી. દ્વેષી પોતાના દ્વેષપાત્રના ગુણને જોતો નથી. ગુણ અને દોષને યથાર્થપણે જાણવા માટે વીતરાગ થવું જોઈએ. ‘વીતરાગ’ થવા માટે વીતરાગને નમવું જોઈએ. વીતરાગ પ્રત્યેની યથાર્થ ભક્તિ કેળવવાથી વીતરાગ થવાય છે. વીતરાગ પ્રત્યેની ભક્તિનું પ્રેરક તત્ત્વ રાગ દ્વેષરહિત થવાની ઉત્કટ ઇચ્છા જ છે.” ૦ બીજું શ્રદ્ધેય તત્ત્વ-નિગ્રંથ ગુરુ ૦ સંપૂર્ણ રાગરહિત વીતરાગ છે, અને જે સતત વીતરાગ બનવાને પ્રયત્નશીલ છે તે નિગ્રંથ છે. ગ્રંથ : ગાંઠ, પરિગ્રહાદિની ગાંઠ, મૂર્છાની ગાંઠ. દેહાદિકથી માંડીને કોઈપણ પદાર્થ પરની મૂર્છાનો આત્યંતિકપણે ત્યાગ કરવો તે નિગ્રંથતા છે. સંસારત્યાગ થયા પછી પણ અંતરંગ પરિણતિ પ્રત્યે દૃષ્ટિનું સ્થાપન થયું નથી, ભલે બાહ્ય ત્યાગ થયો હોય પરંતુ ઉપકરણાદિ કોઈ પદાર્થની મૂર્છા એ નિગ્રંથતાને બાધક છે. પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિના ધારક મૂળ ગુણ ઉત્તર ગુણના Jain Education International ૮૮ * શ્રુતસાગરનાં બિંદુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy