SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ કે વેશના ભેદ નથી. “વ્યક્તિ કરતાં સંઘબળ વિશેષ છે, વ્યક્તિના જ્ઞાન કે ગુણ કરતાં સંઘનું જ્ઞાન કે ગુણ વિશેષ હોય છે. વ્યક્તિની આરાધના મર્યાદિત થઈ જાય છે. સંઘની આરાધના વ્યાપક છે. વ્યક્તિની પવિત્રતા કરતાં સંઘની પવિત્રતા વિશેષ છે.” અજ્ઞાનીઓના સમૂહને સંઘ ન કહેવાય. શ્રી સંઘને અજ્ઞાનીઓનો સમુદાય ન કહેવાય. ગુણહીન સમુદાયને હાડકાનો માળો કહ્યો છે તે સાપેક્ષ છે. છતાં આવું કથન જે તે વ્યક્તિ કરવાને પાત્ર નથી એમ કહેવાનો અધિકાર ભવભીરુ ગીતાર્થ પ્રવચનવત્સલ એવા મુનિઓને જ હોય. તે સિવાય માર્ગે ચાલતા દરેક રાહદારીને માટે એવું કંઈ પણ બોલવાની ચેષ્ટા એ અધર્મ છે. અનંત સંસારનું કારણ છે. કોઈ જ્ઞાન સહિત જન્મતું નથી. વળી ધર્મમાર્ગ જ્ઞાન અને ક્રિયાથી પ્રારંભ થાય છે તો પણ પ્રથમ તો ક્રિયાની જ મુખ્યતા છે. પહેલાં જ્ઞાન કે સમજ લઉં અને પછી ક્રિયા કરું તે શક્ય નથી. મા શું છે એ સમજું પછી મા” ને મા કહું એમ બાળક કહે તો તે યથાર્થ નથી. જિનેશ્વરપ્રણીત ધર્મક્રિયાઓની વિશાળતા અને સૂક્ષ્મતા સમજવા આપણે અલ્પમતિ બાળક જેવા છીએ. મન:પર્યવ જ્ઞાનયુક્ત સંયતિ પણ પોતાને નાના માને છે. માટે આપ્તપુરુષના વચનમાં વિશ્વાસ કેળવવો. અસદ્ આગ્રહનો ત્યાગ કરવો. અસદ્ આગ્રહથી વિદ્યા, વિનય, વિશુદ્ધિ, વિશદતા, ઉદારતા, સિદ્ધાંત બોધ નષ્ટ થાય છે. દુઃખે કરીને, અહંકારને ત્યજીને પણ તેનાથી દૂર રહેવું. કોઈ પણ વ્યક્તિ અસગ્રહને વશ થઈ, કોઈ એકાંત પક્ષને પકડીને નિત્યની આવશ્યક કરણી જેટલા આવેશથી ત્યજી દે છે, પણ જ્યારે સમજ પેદા થશે ત્યારે ઘણા બળ વડે તે જ સક્રિયાઓ કરવી પડશે. તે સિવાય તેને બીજી કઈ ક્રિયાઓ માર્ગે ચઢાવશે ? ધર્મક્રિયા વડે આત્માની સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. તત્ત્વજ્ઞાનના અભ્યાસ, વડે મોહ અને અજ્ઞાનનો નાશ થાય છે. ત્યારે આત્માનું અનંતજ્ઞાન પ્રગટ થાય છે. ધર્મમાર્ગે વિકાસક્રમ શ્રદ્ધા, સજ્ઞાન, સદ્વર્તન અને સધ્યાન આ ચાર વિકાસનાં અંગો છે. શ્રદ્ધા કે સાચી જિજ્ઞાસા વગર સજ્ઞાન થતું નથી. જ્ઞાન વડે તત્ત્વ મંથન ૪ ૮૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy