SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કરવી સારી છે. પ્રથમ અશુભના પથરાને દૂર કર, પછી હળવો થા, અને શુભ પ્રવૃત્તિ કર તો તારામાં રહેલી શુભ ભાવનાની શક્તિ જાગૃત થશે, માટે નિરર્થક ચર્ચા અને વાદ છોડી ભૂમિકા પ્રમાણે આવશ્યક કરણી કરતો થઈ જા. ૦ આત્મોત્થાન એક જન્મનું કાર્ય નથી ) સમજણ વગર “સીતારામ સીતારામ' બોલતો પોપટ અન્ય પંખીઓ કરતાં સન્માનનીય મનાય છે. સાચા સાધકો શાસ્ત્રોના પાઠ કરતાં આત્મિક આનંદ અનુભવે છે. એ દૃષ્ટિ વગરના જીવો કેવી રીતે સમજી શકે ! તેઓ માને છે કે આ પોપટિયું રટણ છે, તે વિચાર તેમને જ બાધક છે. ભૌતિક અને વ્યવહારિક શિક્ષણમાં ઘણો વિકાસ જણાય છે. તેટલો વિકાસ આત્મોત્થાનના શિક્ષણનો નથી દેખાતો. કારણ કે આત્માને તત્ત્વ પ્રત્યે વાળવો જીવો માટે દુર્લભ છે. છતાં મહાપુરુષો, યુગપ્રધાનોની ઉપસ્થિતિ તેવા શિક્ષણનાં સ્થાનોને ટકાવી રાખે છે. આત્મોત્થાન કોઈ એક જન્મનું કાર્ય નથી માટે કોઈના આચાર કે ચારિત્રની શિથિલતા જોઈને નિરર્થક છે તેમ ન માનવું પરંતુ વારંવાર સંયમના પ્રયત્નથી શ્રતધર્મની આરાધના કરીને જીવ ચારિત્રધર્મનું નિર્માણ કરે છે. શ્રતધર્મ કે ચારિત્રધર્મનું નિર્માણ કંઈ વ્યક્તિથી થતું નથી માટે શાસન-સંઘનું પ્રાધાન્ય હોવું જોઈએ. વ્યક્તિઓના આધાર પર સંઘનું કલ્યાણ નથી પોતાના ગુરુપદ કે વ્યક્તિવિશેષતા માટે પુણ્યના આધાર પર જે સંગઠનો થાય છે, તે હિતકારી નથી. વ્યક્તિ સાપેક્ષ સંઘ ન કહેવાય તે સંગઠન છે, તેના દ્વારા યથાર્થ ધર્મનું નિરૂપણ ન થાય. સંઘ ચતુર્વિધ જ યથાર્થ કહેવાય. શાસનમાં કદાચ થોડી વ્યક્તિઓની નબળાઈ હોય તો પણ સંઘની ગૌણતા એ ધર્મની ગૌણતા છે. વળી સંગઠનોમાં કદાચ કશી નવીનતા દેખાય, ક્રિયાઓ ગૌણ હોય, ત્યાગ-વૈરાગ્યની અનાવશ્યકતા મનાય એ ખૂબ લોભામણી અને બિહામણી પરિસ્થિતિ છે. ધર્મના બહાને ધર્મનું જ ઉમૂલન છે. અનેક જીવોને તે હાનિકારક છે, માટે ધર્મમાર્ગનો યથાર્થ નિર્ણય કરવો. જૈનદર્શન નવકારથી શરૂ થાય છે અને મોક્ષથી પૂર્ણતા પામે છે, તેમાં ઘણા શુદ્ધ વિધાનોનો સમાવેશ છે. તેમાં જાતિ ૮૬ * કૃતસાગરનાં બિંદુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy