SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ ધર્મ જેને સ્પર્શે છે, તે કર્મમુક્ત થવા આ ઉપાયો યોજે છે, જિનાજ્ઞાને આધીન વર્તે છે, તેને માટે આ માર્ગ સરળ છે. સંસારની સેવાથી કંઈ હિત ન થાય. સંસારની સેવા એટલે જડની સેવા, જડનો રાગ. જેટલો જડનો રાગ તેટલો જીવનો દ્વેષ કે અનાદર થવાનો. ખોટો સિક્કો એક હાથથી બીજા હાથમાં ફરતો રહે પણ તેને કોઈ રાખવા ન ઈચ્છે તેમ જડનો રાગ ખોટો, તે એક ગતિમાંથી બીજી ગતિમાં ફેરવે. પણ ધર્મને ધારણ ન કરે. સંસારી જીવ યોગ-ઉપયોગયુક્ત છે. અનાદિ યોગ ક્રિયારૂપ હોવાથી આશ્રવ છે. અને ઉપયોગ ચેતનાના લક્ષણરૂપ જ્ઞાનવ્યાપારરૂપ હોવાથી સંવર નિર્જરારૂપ છે. શુદ્ધોપયોગ એ ધર્મરૂપ હોવાથી મોક્ષનો ઉપાય છે. બાહ્ય વિધિ – નિષેધો ધર્મનું બાહ્ય સ્વરૂપ છે. આંતરિક ધર્મ જિન પરિણતિમય નિજ-પરિણતિ છે. ચેતના – ઉપયોગ જેટલો નિજપરિણતિમાં લીન થાય તેટલો જિનભાવની નિકટ થાય, તે મુક્તિ છે. એટલે ધર્મને સ્વભાવ કહ્યો છે. પરભાવ કે વિભાવ સંસાર છે. આત્મશક્તિ ઉચ્ચ અને શુદ્ધ છતાં, સાંસારિક વૃત્તિઓ પાસે ટકતી કેમ નથી ? આત્મશક્તિ એટલે આધ્યાત્મિક શક્તિ, તે જો વાસ્તવમાં તમારામાં પ્રગટ થઈ હોય તો સાંસારિક વૃત્તિ પરાજય પામે. પરંતુ અધ્યાત્મ શક્તિ અને વિચારમાં ઘણો ફરક છે. અધ્યાત્મ કેવળ કલ્પના કે વિચાર હશે તો તે ટકી નહિ શકે. તમને લાગશે કે કેટલીય વિચારણા કરી છતાં ક્રોધ જીતી જાય છે. ક્ષમા ટકતી નથી. કારણ કે તમે ચિત્તમાં ક્રોધને ધારણ કરેલો છે. ક્ષમાને ધારણ કરી નથી. પ્રકાશની હાજરીમાં અંધકાર કેવી રીતે ટકી શકે, તેવું સત્ય એ છે કે ક્ષમા જો તમારા સ્વભાવરૂપે પરિણમી હોય તો ક્રોધ કેવી રીતે ટકે ? માટે મારામાં આધ્યાત્મિકતા છે, ધાર્મિકતા છે તેવો ખોટો ખ્યાલ છોડી દેવો. ક્રોધાદિ અતિ શુદ્ર છે, ક્ષમા આત્માની શક્તિ છે. તેની હાજરીમાં ક્ષુદ્રતા ટકી નહિ શકે. વાસ્તવમાં ક્ષમા સ્વભાવરૂપે હોય તો. આણાએધમો * ૮૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy