SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ માનવજન્મ થતાં પહેલાં જીવ કેટલાય તિર્યંચાદિ સ્થાનોએથી પ્રકૃતિ અને વિકૃતિનો વળગાડ લઈને જન્મ્યો છે. તેથી તેની ભૂમિકામાં હજી ઘણી ક્ષુદ્રતાઓ અને પાશવતાઓ રહેલી છે. તે દૂર ન થાય તો વળી પાછા તે જ સ્થાનોએ તારે પાછા ફરવું પડે. એવી અવદશાથી ઊગરવાનો ઉપાય ધર્મ છે. તારા પોતામાં રહેલું જ્ઞાન છે. ક્ષુદ્રતા અને પાશવતા અધર્મ છે, તે જીવને ધર્મની અરુચિ કરાવે છે. ધર્મરુચિ થતાં જ આત્મા ધર્મ પ્રાપ્ત થાય તેવો યોગ શોધે છે. તેવા યોગમાં આત્મગુણોને વિકસાવે છે, જતન કરે છે. ગુણવાનો તેને સ્વાત્મતુલ્ય વહાલા લાગે છે. ધર્મીએ બાહ્ય ક્રિયા કે આડંબરથી ધર્મી હોવાની માન્યતા કરવી નહિ. પોતાની કસોટી ગરજનો પાસે કરાવવી. પોતાની વાણી-વર્તનમાં ધર્મ પ્રગટ થવો જોઈએ. જેમ વૃક્ષનું મૂળ તેનાં પાંદડાં, ડાળી ફળ, ફૂલથી ઓળખાય છે, તેમ તારું મૂળ અને કુળ તારા ગુણોના પ્રાગટ્યથી ઓળખાવું જોઈએ. બેચાર જગાએ બેચાર ધર્મની વાતો સાંભળી લેવી તે ધર્મ કહેવાતો નથી. સમાજમાં માનપ્રતિષ્ઠા મેળવવા સમયનો - ધનનો વ્યય કરી મૂલ્ય ચૂકવવું પડે છે, તો પછી અત્યંત મહિમાવંત ધર્મ મેળવવા માટે તેના અધિકારી બનવા પાત્રતા કેળવવી પડે, મનુષ્યજન્મની ક્રિયા જ ધર્મની ભાવના સાથે રહેલી છે. ધર્મ પામ્યાનો આનંદ તને જગતની વસ્તુનો અભાવ મુકાવી દે છે. તું તૃપ્ત બને છે. પૂર્ણાનંદમય સ્વરૂપમાં યથાર્થ દષ્ટિ થતાં બાહ્ય સુખદુ:ખ સ્પર્શતાં નથી. આવી દષ્ટિ ધર્મપ્રાપ્તિની સૂચક છે. જે પામવા માટે ઘણા આંતરે માનવજન્મ મળે છે. તે સિવાય અન્ય જન્મમાં પૂર્ણ ધર્મ પામવો શક્ય નથી. આ જન્મની સાર્થકતા ભૌતિક વિકાસથી નથી, પરંતુ ધર્મની - સ્વભાવની પ્રાપ્તિથી સાર્થકતા છે. અજ્ઞાનવશ અનાદિથી સંસારની ચારે ગતિમાં રખડ્યો. એ સંસાર ખરેખર ભયંકર છે, શુદ્ધોપયોગ વડે જ તેને તરી શકાય છે. શુદ્ધ ધર્મની ચાર અપેક્ષાઓ ૧. વિધિયુક્ત દાન ૨. યથાશક્તિ અહિંસાદિ સદાચાર ૩. ઈદ્રિય વિષયો અને કષાયોનો પરિહાર ૪. પંચ પરમેષ્ઠિ નમસ્કાર અર્થાત્ દાન, શીલ, તપ અને ભાવરૂપ આ ધર્મ છે. પરિભ્રમણની વ્યાધિથી પીડાતા જીવને પીડારહિત થવાનો આ ઉપાય છે. ધન વડે એ ઉપાય શક્ય નથી. ૮૦ * શ્રુતસાગરનાં બિંદુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy