SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ થશે. ધર્મના સર્વ પ્રકારો હૃદયની વિશાળતા, કોમળતાને પૂર્ણપણે સાધ્ય કરવા માટે છે. તે ચિત્તશુદ્ધિનો દ્યોતક છે. રાગ-દ્વેષના ભાવો પ્રથમ તો તારા ચિત્તને ડહોળી નાંખી ડહોળા પાણી જેવું વ્યર્થ બનાવે છે. મૈત્રી જીવને પ્રથમ સમતામાં લઈ જાય છે, તે ચિત્તશુદ્ધિનું માધ્યમ બને છે. તેનાં અહિંસા અને પ્રેમ જેવાં તત્ત્વો ખીલી ઊઠે છે. ત્યારે તું અન્યના દોષોને સહજ જ ક્ષમાભાવે સ્વીકારે છે, તારા દોષોને તું તરત જ ખમાવે છે. આવી નમ્રતા તને પરમાત્મભાવ સુધી લઈ જાય છે તે તારી કૃતાર્થતા છે. ગૃહસ્થને ઘરની મોકળાશ ગમે છે. કારણ કે સૌનો સમાવેશ સુખેથી થાય છે, તેમ હૃદયની વિશાળતા હળવાશ લાવે છે, તેમાં સૌનો પ્રેમ સમાય છે, તે ચાવી છે. ભાઈ ! તું એક; તારે પીડા લાખો, સાધકને, ભક્તને એક જ પીડા પ્રભુ ક્યારે મળે ? પરમાત્મદર્શન ક્યારે થાય ? કર્મના ભારથી ભરેલો માનવ પરમતત્ત્વ ગમે તેટલું વિશાળ છતાં તેમાં સમાઈ શકતો નથી. પરમ તત્ત્વ અસીમ વિશાળ છતાં તારા નાના હૃદયમાં સમાઈ જશે, જો તે હૃદય નિર્મળ હશે, પાપમાં નિર્બળ હશે તો. માટે તું અહમૂથી ફેલાવાને બદલે પ્રેમથી ફેલાઈ જા. જ્ઞાની પણ 'નો ઉપયોગ કરે છે, ત્યારે તેમાં શુદ્ધતત્ત્વ નીતરતું હોય છે, અજ્ઞાની હું' કહે ત્યારે અહં નીતરતું હોય છે. તમે તમારા અવગુણના માલિક છો, તે તમને ના પસંદ પડે તો તેને કાઢી મૂકો, નહિ તો તમારે તેની ગુલામી ભોગવવા તૈયાર રહેવું. અહંકારથી ફૂલેલા કે ક્રોધ ભરેલા તને કદાચ તું તાકાતવાળો લાગે પરંતુ તે સમજી લેજે તારું મન અત્યંત નબળું છે. માટે ક્ષમા વીરોનું ભૂષણ મનાય છે. ક્રોધ કાયરનું દૂષણ છે. અગ્નિથી તપેલા લોઢાને જેમ કોઈ હસ્તસ્પર્શ કરતું નથી. તેમ ક્રોધાગ્નિથી પ્રજ્વલિત તારા મનને કોઈના પ્રેમનો સ્પર્શ થઈ શકતો નથી. ત્યારે તું એમ ન માનતો કે હું તાકાતવાન છું. તારી એ તાકાત તારા જ દુઃખમાં પરિણમશે ત્યારે સંભવ છે કે તું પેટે ચાલનારું પ્રાણી હોઈશ. ત્યાં તારી કોઈ તાકાત કામ નહિ લાગે. અહંકારાદિ વડે મન ઘણું સંકીર્ણ થાય છે, ત્યારે સમજવું કે તેમાં કોઈ પરમતત્ત્વનો વાસ કે પ્રકાશ સંભવ નથી. અહંકાર સાથે ઘણા દોષો વડે મન અનેક છિદ્રોયુક્ત છિન્નભિન્ન હોય છે. ૭૪ * શ્રુતસાગરનાં બિંદુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy