SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ છે ! સમસ્ત વિશ્વ જેમાં ઝળકે તેવી જ્ઞાનસ્વરૂપ ચેતનાના પ્રકાશ પર કેવો અંધકાર વ્યાપી ગયો છે ! કષાયો, કર્મો, ક્લેશો, કામનાઓ, કુસંસ્કારો, જેવા મલિન પદાર્થો વડે ચેતનાનો પ્રકાશ ઢંકાઈ ગયો છે. દેવના શરીરના પુદ્ગલો ભલે શુભ હોય. માનવશરીર ભલે અશુચિથી ભરેલું હોય છતાં માનવનું આસન ઘણું ઊંચું છે. ચેતનાશુદ્ધિની અભુત શક્તિની સંભાવના માનવને જ મળી છે. માનવ સમસ્ત વિશ્વના જીવસમૂહ સાથે સમાન ભાવનો - મૈત્રીભાવનો સાક્ષાત્કાર કરે છે. માનવ મન કોઈ અદ્દભુત તત્ત્વ છે. જ્યારે તે સ્વાર્થજનિત વૃત્તિઓથી આવૃત્ત થાય છે, ત્યારે સંકુચિત થઈ અણુ જેવું નાનું બને છે, ત્યારે તેમાં કોઈ ઉચ્ચ તત્ત્વની કે અન્યની પ્રવેશબંધી થાય છે. તે કોઈની નજીક જઈ શકતું નથી કોઈને પોતાની નજીક રાખી શકતું નથી. તેમાં પોતાને પણ કંઈ વિશ્રામ નથી. એ મનમાંથી સ્વાર્થનો કાદવ-મળ નીકળી જાય છે ત્યારે તે બ્રહ્માંડ જેવું વિશાળ બને છે. મૈત્રી આદિ ભાવથી રંજિત થયેલું ચિત્ત સમગ્ર વિશ્વમાં પોતાના પ્રેમભાવનો પ્રસાર કરે છે. હૃદય વિરાટ અને વિશાળ બને છે ત્યારે વિશ્વ પોતામય - મૈત્રીમય બને છે. તેના હૃદયમાં સર્વનો પ્રેમ સમાય છે, છતાં તેમાં અવકાશ રહે છે. હે માનવ ! તું વિચાર કર કે જો હું મારા હૃદયમાં કોઈને સ્થાન નહિ આપું તો મને કોના હૃદયમાં સ્થાન મળશે ! એ જ હૃદયની ભાવનાઓ વિશાળ થાય તો તેમાં કેટલાંયે બ્રહ્માંડો સમાઈ જાય. એ વિશાળતાનો આનંદ અવર્ણનીય છે. સમગ્ર વિશ્વ તેને પ્રેમમય, મૈત્રીમય, અનુભવમાં આવે છે. સંસાર ક્લેશથી ભરપૂર હોવા છતાં તે સંપૂર્ણપણે નિરામય ચિત્તવાળો રહે છે. એના પ્રદેશ પ્રદેશે આનંદના ફુવારા ઊડે છે. જીવને આવા સુખ-આનંદની પૂરી સંભાવના છતાં જીવ હૃદયને સાંકડું શા માટે બનાવતો હશે ? શું તેને સુખ પ્રિય નથી ? સુખ તો પ્રિય છે પણ તેને સાચા સુખનું અજ્ઞાન છે. અને અહંકાર છે. એ અહંકારનું ગુંજન જ્યારે નીરવતા પામશે ત્યારે તું ધર્મના ધોરી માર્ગે નિષ્કટક ચાલ્યો જઈશ ત્યારે તારી મંજિલ પૂરી થશે. ૦ વિશાળતાની ચાવી શું છે ? – તું તારામાંથી, તારા સ્વાર્થમાંથી થોડો બહાર નીકળ. હું અને મારું નહિ, પણ સર્વત્ર મૈત્રી, આવી આત્મિક ઉદારતાથી વિશાળતાનો પ્રારંભ આણાએધમ્મો * ૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy