SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા મોક્ષસ્વરૂપ છે, વાદળામાં છુપાયેલા સૂર્યની જેમ મોક્ષસ્વરૂપ કર્મોના આવરણમાં આવૃત્ત છે. તે સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણો વડે પ્રગટ થાય છે. સર્વ જીવમાં સમાન ભાવ તે ગુણોને ચરિતાર્થ કરે છે. દેહધારીને મન, વચન, કાયાની પ્રવૃત્તિ હોય છે તે દ્વારા જો પરને પીડા થાય તો જીવને તે પાપ માટે થાય છે. તે પ્રવૃત્તિઓ ઉપકાર માટે થાય તો પુણ્ય માટે થાંય છે. પુણ્ય સુખનું કારણ છે, પાપ દુઃખનું કારણ છે. દેહધારી માટે આ બે અવસ્થા છે. પરપીડાનો પરિહાર થાય, ત્યાર પછી સંવર અને નિર્જરા ધર્મ મુક્તિનું કારણ બન્ને છે. ૦ ધર્મારાધનાનો ધોરીમાર્ગ ૦ ધર્મમાર્ગમાં જીવના સંસ્કાર પ્રમાણે અનેક સાધનો છે. મૂળ સાધન દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. તે સાધનની પ્રાપ્તિ માટેની કેટલીક ભૂમિકાઓ છે. જ્ઞાન, ધ્યાન, ભક્તિ-પ્રેમ ધોરી માર્ગે લઈ જનારા છે. જ્ઞાનનું કામ જાણવાનું છે. ધ્યાનનું કાર્ય આત્મભાવમાં ઠરવાનું છે. ભક્તિ, પ્રેમતત્ત્વની પ્રાપ્તિ કરાવે છે. પ્રેમમાર્ગ ભક્તિરૂપ હોવાથી સરળ છે કારણ કે માનવને પ્રેમની પ્રતિષ્ઠા છે, અભ્યાસ છે. સંસારક્ષેત્રે તે પ્રેમથી ઘણા સંબંધો બાંધે છે, પરંતુ તેમાં નિર્દોષતા ટકતી નથી. ગુરુ અને પરમાત્મા એ બે તત્ત્વો એવાં છે કે ત્યાં પ્રેમ સ્થાયી બને છે. અને પરિણામે વસ્તુની પ્રાપ્તિ કરાવે છે. વળી પ્રેમરૂપ ભક્તિમાર્ગ માનવને સહારો છે, ભગવાન અને ભક્ત એમ બે છે. ભગવાન અને ભક્ત એક જ દિશામાં ચાલે છે, ભગવાન માર્ગે પહોંચ્યા છે, ભક્ત તેમના આશ્રયે પણ માર્ગમાં છે. માટે વિરલ મહાત્માઓને બાદ કરતાં મહદ્અંશે જીવો ભક્તિમાર્ગને આરાધે છે, આશ્રય લે છે. ધ્યાનમાર્ગ ઘણા સાહસનું કાર્ય છે. કેવળ ચઢાણ છે. એ માર્ગે સ્વયં એકની જ યાત્રા છે. સહારા વગર સ્વમાં સ્થિર થવાનું સાહસ છે. પણ સંભવ છે. ભક્તિથી જીવ માર્ગે ચઢે છે પરંતુ ધ્યાન પૂર્ણતાએ પહોંચાડે છે. ધર્મારાધનાનો ધોરી માર્ગ પ્રેમ છે જે જીવોમાં સદ્ભાવ પેદા કરે છે. અન્યોન્ય નિર્દોષતાથી જોડે છે. આ પ્રેમ વિશ્વમૈત્રીમાં ફેલાય છે. ધર્મધ્યાન મૈત્રીભાવ વડે સાધ્ય બને છે. માનવચેતનાને લાગેલી મલિનતા મૈત્રીભાવથી દૂર થાય છે. આત્માની અનંત શક્તિ ક્યાં ઢંકાઈ ગઈ Jain Education International ૭૨ * શ્રુતસાગરનાં બિંદુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy